આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઈ તું મરે
કૃષ્ણને કરવું હોય તે કરે !
તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપ તણું અજ્ઞાનપણુ એ, મૂળ વિચારે ખરે
કૃષ્ણને કરવું હોય તે કરે !
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે ?
કૃષ્ણને કરવું હોય તે કરે !