પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

પણ જો રાજાઓ ન માને તો હું તેમના પર પણ બળજોરી કરવામાં આવે ને તેમને ફરજ પાડવામાં આવે એમ માગતો નથી. એકલું બ્રિટિશ હિંદ જ ભલે આઝાદી મેળવે. અને હું જાણું છું, રાજાઓ પણ જાણે છે, કે બ્રિટિશ હિંદની સાચી આઝાદી એમની પ્રજાની પણ આઝાદી થઈ પડ્યા વગર રહેવાની નથી. કારણ હું કહી ચૂક્યો છું કે બેઉ હિંદ એક જ છે. દુનિયાની કોઈ પણ સત્તા સદાકાળને માટે એમને જુદાં રાખી શકે એમ નથી.

હરિજનબંધુ, તા. ૨૪-૩-૧૯૪૦