લખાણ પર જાઓ

પૃષ્ઠ:Divasvapna.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વ. ગિજુભાઈના મનોરથેા

મેં મારો એ સંકલ્પ જાહેર કર્યો છે કે જેનું આ ખરું સન્માન છે તે બાળકોને ચરણે આ થેલી શોભે; તેમનું જ સન્માન હજી વધારવાને આ નાણાં વપરાય.

આટલા થોડાક હજાર રૂપિયામાં આપણે બાળકો માટે શું કરી શકીએ ? લગભગ કંઈ જ નહિ. ગુજરાત ધારે તો તે લાખો રૂપિયાથી બાલસન્માન કરી શકે; તેની શક્તિ ઘણી જબ્બર છે. ગુજરાતને આંગણે એકાદ બાલસન્માન મંદિર હોય, એકાદ બાલશિક્ષણ વિદ્યાપીઠ હોય, એકાદ બાલજ્ઞાનકોષ હોય ત્યારે ગુજરાતે બાળકોનું સાચું સન્માન કર્યું કહેવાશે. હું તો એમ સમજું છું કે આવી એકાદ કલ્પના પાર પાડવાને માટે ગુજરાત તત્પર થઈ શકે અને મને આપવામાં આવેલી આ સન્માન થેલીની રકમ તો ગુજરાત બાલસન્માનની કોઈ જબ્બર યેાજના ઉપાડે તેમાં મામૂલીમાં મામૂલી રકમ તરીકે નોંધાય.

સૌ પ્રાંતોમાં ગુજરાત આજે આગળ છે, જીવંત છે. એની આગળ આવા ગાંડાઘેલા તરંગો મૂકતાં મને જરા પણ સંકોચ થતો નથી. ઈશ્વરની દયા વડે મારા આવા તરંગો ગુજરાતમાં કંઈક વાસ્તવિકતાને પામ્યા છે એટલે ઊંલટું આ મનેરથો રજૂ કરતાં મને આનંદ થાય છે.

(સન્માનથેલી અર્પણ સમારંભ પ્રસંગે આપેલા ભાષણમાંથી)