પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જક્ષણી


ઊંધવું ? રાતે જાગી દિવસે ઊંધવું ? શું કરવું ને શું ન કરવું ? ખરેખર, જગતે પુરુષની ધણી જ ઉપેક્ષા કરી છે.

અંતે ભૂખ લાગી. ભૂખ એ સારી વસ્તુ છે. કાંઈ ન સૂઝે ત્યારે પણ એ સૂઝે છે. મેં કપડાં પહેર્યાં. ઊંઠ્યો, કમાડ વાસવા ગયો ત્યાં પૂંછડું હલાવતી મોતી પાસે આવી. તે પણ અત્યાર સુધી ગમગીન થઈને બેઠી હતી. વિરહમાં કાવ્ય સ્ફૂરે છે; મને નીચેનું કાવ્ય સ્ફૂર્યું.

कश्चिद् भर्त्र्यां स्मरसि रसिके स्वं हि तस्वा: प्रियेति *[૧]

તેનો ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફૂર્યો:

ધણિયાણીને સ્મરછકનિ તું વ્હાલી તેની હતી તે

તમને આમાં દોષ લાગશે. પણ મોતી તો આ સમજી ગઇ. મેં તેને થાબડીને ખુરશી ઉપર બેસાડી કમાડ વાસ્યું.

પહેલાં આવે પ્રસંગે એક વીશીની ઓળખાણ કરી હતી ત્યો ગયા. જરા મોડું થયું હતું પણ હજી વીશી ચાલતી હતી. મહારાજ નવો આવેલો હતો, પણ જાણે ઘણાં વરસથી મને ઓળખતો હોય તેમ કહેઃ "અહો ! સાહેબ ઘણે દિવસે આવ્યા ? આવા દૂબળા કેમ પડી ગયા ? અહીં જમતા ત્યારે તો સારા હતા શરીરે ?" હું તેની પ્રગલ્ભતાથી ઘણો ખુશ થયો. મને જાણે વિચાર કરવા, રમવા એક નવું જ રમકડું મળ્યું.

મેં કહ્યું: "હા મહારાજ, એટલે જ હવે તમારે ત્યાં જમવા આવવાનો છું. પીરસેા."

'જે દી' નવરો દીનોનાથ' તે દી' મહારાજને ઘડ્યો હશે. તેનો વર્ણ ધોળો હતો, બટાટાંને બાફીને છાલ કાઢી


  1. * कश्चिद् भर्तु: स्मरसि रसिके त्वं हि तस्य प्रियेति! મેઘદૂત
૬૯