આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અધ્યાય ૧૫મો.
પુરુષોત્તમ સ્વરૂપ
શ્રી ભગવાન બોલ્યા--
ઊંચે મૂળ, તળે ડાળો, શ્રુતિઓ પાંદડાં કહ્યાં;
એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો. ૧
ઊંચે—તળે ડાળ-પસાર[૧] તેનો,
ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે;
નીચે, વળી, માનવલોક માંહી
મૂળો ગયાં, કર્મ વિષે ગૂંથાયાં. ૨
તેનું જગે સત્ય ન રૂપ ભાસે,
ન આદિ—અંતે નહિ કોઈ પાયો;
લૈ તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી,
અશ્વત્થ આવો દૃઢમૂળ તોડ. ૩
શોધી પછી તે પદને પ્રયત્ને
જ્યાં પોં’ચનારા ન પડે ફરીથી--
તે પામવું આદિ પરાત્મ રૂપ,
પ્રવૃત્તિ જ્યાંથી પસરી અનાદિ. ૪
- ↑ [ડાળો નો પસારો.]