આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુજ સ્વામી સાચા
૯૮
આખરી ઉપાય તરીકે પિતાએ પુત્રીને કહ્યું :
‘અમે તને પ્રાર્થના કરીએ છીએ...’
‘પ્રાર્થના તો હું પ્રમોદકુમાર માટે કરી રહી છું.’
‘શું?’
‘કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ’
સાંભળીને સર ભગન ઠંડાગાર થઈ ગયા.
નીચેથી પ્રકાશશેઠનો બરાડો સંભળાયો :
‘સર ભગન ! હજી કેટલી વાર શુભ ચોગડિયું વીતી જાય છે.’
✽