પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેવાઈઓ અને વરઘોડિયાં
૨૦૯
 


ડામર ઓગાળી નાખ્યો.’

‘તે સુધરાઈવાળાઓ ડામર જ એવો રદ્દી વાપરે એમાં મારો શો વાંક ?’

‘પણ બંગલામાં આટલી લાંબીચોડી જગ્યા મૂકીને એ વાયર ઉપર જ યજ્ઞવેદી શા માટે ઊભી કરી ?’

‘યજ્ઞવેદી તો જ્યોતિષમાર્તંડો ક્ષેત્રમાપન કરીને ધર્મદૃષ્ટિએ શ્રેષ્ઠ સ્થળ પસંદ કરે ત્યાં જ માંડી શકાય. કોઈ દહાડો તમે સહસ્ત્રચંડી યજ્ઞો કરાવી જાણ્યા છે તે તમને ખબર પડે ?’

‘આ દલીલો નકામી છે. મારી ફરજ તમને પકડી જવાની છે.’

‘વાતમાં શો માલ છે ? હું સર ભગન તમારી જેલમાં આવીશ ?’

‘તમે નહિ આવે તો કોણ આવશે ?’

‘જોઈશે તો હું જામીન આપીશ.’

‘આ જામીન વિનાનું વૉરન્ટ છે. શહેર આખાનો જીવનવ્યવહાર ખોરવી નાખવાનો તમારી ઉપર આરોપ છે.’

‘હું જોઈ લઈશ.’

‘હું પણ એ જ કહં છું. તમે એક વાર જેલખાનું જોઈ લો. જામીન માટે અરજી કરવી હોય તો જેલમાંથી કરજો.’

‘પધારો શેઠજી, પધારો !’

‘રહી રહીને પણ આપને અમારા પર દયા આવી ખરી.’

‘અમને ખાતરી જ હતી કે ધર્મગુરુઓને બંદીવાસમાંથી છોડાવવા ધર્મચક્રપ્રવર્તક અહીં આવ્યા વિના નહિ ૨હે.’

‘આખરે તો ધર્મનો જ જય છે. પાપનો ક્ષય છે.’

સ૨ ભગન લૉક–અપમાં પેઠા કે તુરત સામેથી બે ત્રિપુંડ્રધારી બ્રહ્મર્ષિઓ એમને આવકારી રહ્યા.

‘હું તમને છોડાવવા નથી આવ્યો.’