પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બુચાજીનું સ્વપ્ન
૨૭
 


‘અરે, પણ એમાંય માણસ જરા અક્કલ તો વાપરે કે બુચાજી જેવા બૅરિસ્ટરને પણ રોકી જ રાખે.’

‘અરે બાવા, એ ગરીબ મનિસમાં અક્કલ હોતે તો તે તમારી કાની ઇન્ડસ્ટ્રીયલ ટાઈકુન ન બની બેસતે ?’ બુચાજી બોલ્યા.

આ દરમિયાન સેવંતીલાલ દોડતા દરવાજે પહોંચી ગયેલા. ગુરખાના બરાડા અને રાહદારીઓના અવાજો એકાએક બંધ પડી ગયા હતા તેથી સર ભગનને પણ નવાઈ લાગી.

‘પેલો અજાણ્યો માણસ પાછો ગયો લાગે છે,’ એમ સર ભગન હજી તો અનુમાન કરી રહ્યા હતા ત્યાં જ સેવંતીલાલે આવીને કહ્યું :

‘નહિ સાહેબ, એ અંદર આવી ગયો છે.’

‘કોણ હતો એ પેલો નાચણિયો કંદર્પકુમાર ?’

‘નહિ, જી, એ તો આપણો ગિરજો ગોર હતો.’

‘અરે, મરે રે એ મૂઓ ગુરખો,’ લેડી જકલ કોપી ઊઠ્યાં. ‘એ ગરીબડા ગોરદેવતાને આટલા હેરાન કર્યા એણે ? એ અડબંગ આપણા કુળગોરને પણ ન ઓળખે ?’

‘ગોરબાપા ઓળખાય એવા રહ્યા જ નથી.’ સેવંતીલાલે કહ્યું.

‘કેમ ?’

‘એમણે પૂળો એક દાઢી વધારી છે.’

‘દાઢી ? ગિરજાને દાઢી ? એ તો બ્રાહ્મણ છે કે સરદારજી ?’

‘એવી દાઢી નહિ. પણ મેં એને પૂછ્યું ત્યારે કહ્યું કે ગયા ચોમાસામાં એણે પંચકેશ વધારેલા એની આ દાઢી.’

‘તે ચોમાસું ગયું તોય હજી બોડાવી નથી ?’

આ સવાલ, બારણામાં પેસતો ગિરજો સાંભળી ગયો હશે તે એકાએક પ્રવેશીને બોલી ઊઠ્યો :

‘આ શનિવારે હીરિયા નાઈની ડોસીનું સરામણું કરાવવા જઈશ ત્યારે ભેગાભેગો એને હાથે જ દાઢી કરાવતો આવીશ.’

‘મરો તમે,’ લેડી જકલ બોલી ઊઠ્યાં, ‘મફત બોડાવવાના