પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન
૧૯
 

બાસઠ વર્ષનો માણસ, અનેક રોગોથી
ભરેલો ને મનસ્વી પુરુષ માગી માગીને
કેટલાં વર્ષ માગે ?

જીવ જાય ત્યારે કોઈએ શોક કરવો
નહિં, કાં તો ગંભીર ધારણા કરવી, કાં
એકાદ ભજન યા ધૂન ચલાવવી.

નનામીની પ્રથા ના છુટકે અજમાવવી. મળી
શકે તો મ્યુ. બસ મંગાવી એમાં દેહને
લઈ જવો ને અગ્નિસંસ્કાર કરવો.
સ્મશાનમાં કાં ભજન કાં નિવાપાંજલિની
સભા કરવી.

એક જ દિવસે સહુને બોલાવી લેવા. એક જ
ટંક રોકવા.

લૌકિકે ખાસ સગા સિવાય ઝમેલો એકત્ર ન
કરવો. વ્યવહારની ક્રિયાઓ ઓછી કરી,
વહાલપની ક્રિયા વધુ થવા દેવી.

બહારગામથી ચૂંટીને પચાસ સગાંને બોલાવવાં.
સહુને એક ટંક દાળ, ભાત, રોટલી ને શાક ખવડાવવાં.
ખાટકી કે બીજા રિવાજો છોડવા.

પત્નીએ બંગડીઓ રાખવી. ચાલુ વસ્ત્રો પહેરવાં.
ખૂણો ન રાખવો. રોજ બને તો શંખેશ્વર
ભગવાનનો ફોટો મૂકી ધ્યાન ધરવું કે સ્તવન ગાવું.

વૈધવ્યનાં કોઈ ચિહ્ન ન પહેરવા. પહેરાવવા જે
પ્રયત્ન કરે એને ચાર હત્યા લાગે.

મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન
કરવો. બને તો પ્રભુભજન અવારનવાર રાખવાં.
નિરાધાર, અશક્ત, ગરીબને ભોજન આપવું.
પારેવાં ને દાણા નાખવાં - ગાયને ચાર નાખવી.
બને ત્યારે તીર્થયાત્રા કરવી.