પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝંખના
૧૧
 


ચાંદરણે ચાંદલાની ચંદની હુલાતી,
આવ્યે અમાસ અંધરીય :
નહોતી એ ચાંદલાની જ્યોતિ તો આત્મની,
અવનિ અંધારે અકળાય રે !
મારું મન તુંહીં તુંહીં તુંહીં તુંહીં થાય ! ૩

સામે જોતાં હું તારું ચેતન ચીનું ને
પાસે હું જોઉં તારા પાય :
મારો સગો તું મને મૂકી ન જાય, નાથ !
મૂકી તને હું જાઉં ક્યાંય રે ?
મારું મન તુંહીં તુંહીં તુંહીં તુંહીં થાય ! ૪