આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
- સૂર્યનારાયણ ઊગીને ઘેર આવ્યા ને,
- તમે ચાડી ખાધી ને,
- મને ગાળો ભંડાવી ને,
- માટે તમને શાપ દઉં છું ને,
- તમે બૈરાંના પેટમાં વાત નહિ ટકે ને,
- તમે ભભડતાં ભભડતાં રહેશો ને,
- સંતોષ ને સબૂરી નહિ વળે ને."
- એક દહાડો સૂર્યનારાયણ જમ્યા,
- ને બે ગ્રાસ રહ્યા છે ને;
- એક ગ્રાસ સાસુ ખાય છે,
- એક ગ્રાસ રન્નાદે ખાય છે;
- સૂર્યનારાયણે માને પૂછવા માંડ્યું ને,
- મા, મા, કેમ સુકાયાં છો ને,
- "ભાઈ ઘરની વાત જાણો છો ને,
- તમારે કશું અજાણ્યું નથી ને."
- "જુઓ મારે પરણ્યે બહુ દુઃખ આવ્યું ને."
- "ભાઈ કશીયે ફિકર નહિ ને."
- રન્નાદે એક દહાડો કરગરીને કહેવા લાગી ને,
- "હવે ભાઈશા'બ, શાપના અનુગ્રહ કરો ને,
- બધુંય દુઃખ વેઠાય પણ ભૂખનું દુઃખ વેઠાતું નથી ને,
- એક ગ્રાસ તમારી મા ખાય છે,
- ને એક ગ્રાસ હું ખાઉં છું ને,
- માટે હવે મને અનુગ્રહ કરોને."
- "તમે મારું વ્રત કરો ને."
- "તમારું વ્રત હું જાણતી નથી ને?"
- "સવાત્રણ શેર ચોખાનો લોટ,
- સવાશેર ઘી,
- સવાશેર ખાંડ,
- એના ફીણીને લાડુ કરો,
- રૂપાનો રથ કરાવો,
- સૂર્યનારાયણની મૂર્તિ કરાવો,