પ્રભુની ભેટ:
રાજાજીના માણસોએ એક દિવસ આવીને કહ્યું કે
'ભકતરાજ ! પધારો, તમને રાજાજી યાદ કરે છે.'
ભકત માથું ધુણાવીને બેલ્યા કે 'બાપુ, રાજદરબારમાં મારું સ્થાન ન હોય.'
'રાજાજીનું અપમાન કરશો તો અમારી નોકરી જશે, મહારાજ !'
'બહુ સારું ! ચાલો, હું આવું છું.'
પેલી બહેનને સાથે લઇને કબીર રાજસભામાં આવ્યા. સભામાં કેાઈ હસે છે, કેઈ અાંખના ઈસારા કરે છે, કોઈ માથું નીચે ઢાળે છે.
રાજા વિચારે છે કે અરેરે ! આ જેગટો બેશરમ બનીને બાયડીને કાં સાથે ફેરવે ?
રાજાની આજ્ઞાથી પહેરેગીરે ભક્તને સભાની બહાર હાંકી મૂકયા. હસીને ભક્ત ચાલ્યા ગયા.
રસ્તામાં એ સંત ઉપર લોકોએ બહુ વીતકો વિતાડયાં. પેલી બાઈ રડી પડી. ભક્તને ચરણે નમીને બેલી: 'હે સાધુ ! મને દૂર કરો. હું પાપણું છું. તમારે માથે મેં દુ:ખના દાભ, ઉગાડયા.
સાધુ હસીને કહે, 'ના રે માતા ! તું તો મારા રામની દીધેલી ભેટ છે. તને હું કેમ છેડું ?'