આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
[રાજા સોમક મરીને આકાશમાર્ગે સ્વર્ગમાં જાય છે.
રસ્તામાં નરકપુરી આવે છે. તે કાળનો આ પ્રસંગ છે.]
કયાં જાઓ છો મહારાજ ?
સોમક : કોણ છે એ ? એ કેાણ બેલાવે છે મને ? ઘનઘોર અંધારામાં કાંઈ યે દેખાતું નથી. હે દેવદૂત ! પલવાર તારા વિમાનને આંહીં થંભાવ.
હે નરપતિ ! નીચે આવો ! નીચે ઊતરો હે સ્વર્ગના મુસાફર !
સોમક : કોણ છો તમે ? કયાંથી બોલાવો છો ?
સાદ ન ઓળખ્યો રાજા ? મૃત્યુલોકનો હું તમારો પુરોહિત !
સોમક : ગુરુદેવ ! ગુરુદેવ તમે અાંહીં ? આખા બ્રહ્માંડનાં અાંસુ એકઠાં મળ્યા હોય, એ આંસુની વરાળ બની