પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૬૩ ]


અને હિંદી લશકરી કાયદા પ્રમાણે તેણે ઈન્સાફ તોળવાનો છે એમ પણ એમણે કહ્યું.

હિંદી સરકારે બહાર પાડેલા એક નિવેદન તરફ અદાલતનું ધ્યાન એમણે દોર્યું. એમાં એમ જણાવાયું હતું કે આ૦ હિં૦ ફો૦માં ન જોડાનારા ૪૫,૦૦૦ યુદ્ધ કેદીઓમાંથી ૧૧,૦૦૦એ રોગચાળામાં પોતાના જાન ગુમાવ્યા હતા. જયારે આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા ૨૦,૦૦૦ માંથી માત્ર ૧પ૦૦ મરણ પામ્યા હતા. આઝાદ હિંદ સરકાર પાસે એક તસુ પણ જમીન હતી નહિ. અને કોઈ કરવેરા કે મહેસૂલ એ ઉધરાવતી નહોતી. એ તો માત્ર કાગળ ઉપરની સરકાર હતી... કૅ૦ સેહગલ યુદ્ધકેદી તરીકે શરણે થયા હતા એવી દલીલના જવાબમાં એમણે કહ્યું કે એમને એવો કોઈ દરજ્જો આપવાનો અધિકાર કનલ કિટ્સનને હતો નહિ. ચાર કલાક સુધીની દલીલોને અંતે સર નોશીરવાને ઉમેયું કે:-

'બધા આરોપીઓ સામેના તમામ આરોપો શંકારહિતપણે પૂરવાર થઈ ચૂક્યા છે. આરોપીઓ સામેના તહોમતો માટે કાયદામાં કોઈ બચાવ નથી. તેમ છતાં એવા પુરાવા સારા પ્રમાણમાં રજૂ થયા છે કે આરોપીઓએ જે કાંઈ કર્યું છે તેની પાછળ કોઈ પગારદારી ઈરાદો નહિ પણ પોતે જેને સાચા દિલથી દેશપ્રેમી ઈરાદો માનતા હતા તે હતો. હિંદુસ્તાનની સેવા કરવાની ડહાપણભરી કે ગેરરસ્તે દોરવાયેલી લાગણીથી એમણે એ કર્યું હતું. તેથી કાયદેસર રીતે તો આરોપીઓનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી. પણ જો અદાલતનો ફેંસલો આરોપીઓની વિરૂદ્ધમાં હોય તો સજા કરવાની બાબતમાં એનો વાજબીપણે ખ્યાલ રાખી શકાય. અદાલતને લાગેવળગે છે ત્યાં સુધી સજાની બાબતમાં એમના હાથ બાંધેલા છે. જો અદાલતનો ફેંસલો આરોપીઓની વિરુદ્ધમાં હોય તો એમને ઓછામાં ઓછી જનમટીપની સજા એ કરી શકે છે. પણ પોતાની સામે પડેલા પુરાવાઓ ઉપરથી જો અદાલતને એમ લાગે કે આ મુકદ્દમામાં સજા એાછી કરી શકાય તેવી લાયકાત છે તો 'કન્ફર્મિંગ અફસર'ની વિચારણા માટે અદાલત એ જાતનો શેરો કરી શકે છે.'