આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વહેમનાં વમળ
૨૧
પોતે માતા બનનાર હતી, તો આટલા દિવસ મૂંગી કેમ રહી ?
દુઃખિયારી સંતુ પાસે આમાંના એકે ય પ્રશ્નનો ઉત્તર નહોતો.
સંતુનું આ સ્વાભાવિક મૌન જ ઊજમના સંશયોને વધારે ઘેરા બનાવી રહ્યું.
અને જોતજોતામાં તો આ હમેશનો ભેદ એવો તો જટિલ બની ગયો કે એની સમક્ષ પેલો હત્યાનો ભેદ પણ ઝાંખો પડી ગયો; બલકે, પેલા ભેદનું આડકતરું રહસ્ય આ નવા ભેદમાંથી સાંપડી રહ્યું. ...સંતુ માતા બનનાર હતી એ એક નક્કર હકીકત હતી, અને એના ભાવી બાળકનો પિતા ગોબર જ હતો, એ બાબતનો હવે આ દુનિયા પર કોઈ જ સાહેદ મળી શકે એમ નહોતો.
પોતાને શિરેથી પતિહત્યાનું એક આળ તો હજી દૂર થયું નહિ ત્યાં જ આ અણધાર્યું નવું આળ આવી પડતાં સંતુની સ્થિતિ અત્યંત વિષમ થઈ પડી.
*