પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસ્તાવના.

મહામા ગાંધીજીએ સ્વયમેવ લખેલા ‘મારા જેલના અનુભવ’ પુસ્તકની બે હજાર નકલની પહેલી આવૃત્તિ થેડાજ સમયમાં ખપા ગઇ અને આજે બીજી આવૃત્તિ વાંચકદના હાથમાં મૂકાય છે. એજ બતાવી આપે છે કે પ્રજામાં આજકાલ આવા પ્રકારના વાંયન માટે કેટલી બધી ઉત્સુકતા પ્રગટી રહી છે. અમારી આત્તિ બહાર પડયા પછી અમદાવાદ ખાતેથી પણ એજ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. પરંતુ એટલું જણાવવું જરૂરતુ છે કે આ પુસ્તકમાં ગાંધીજીએ લખેલા સત્યાગ્રહની છેલ્લી લડતને અનુભવ’ ચોથા અનુભવ તરીકે આપવામાં આવ્યો છે તે અમદાવાદવાળી આવૃત્તિમાં નથી. વળી આ બીજી આવૃત્તિમાં ખાસ તૈયાર કરાવેલું એક ચિત્ર તથા ગાંધીની જુદા જુદા સમયની એ ખાએ આપેલી છે. તે છતાં કીંમત પ્રથમ આવૃત્તિ કરતાં એક આના આછી રાખી છે.


ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના થયાને હજુ મંત્ર દશ મહિનાજ થયા છે તેટલા વખતમાં આ સંસ્થા તરફથી પુસ્ત અને ચેપાનીયાં (Pamphlets) મળી એક ડઝન ઉપરાંત પ્રગટીકરણા (Publications) થયાં છે. તે જોતાં સંસ્થાએ ટુંક સમયમાં રીક પ્રગતિ કરી કહેવાય. પ્રતિ પ્રજાજનાએ આ સંસ્થાને આપેલા ઉત્તેજનને આભારી છે એમાં કાંઇ શક નથી, પોતાના શૈશવના અલ્પ કાળમાં સંસ્થાએ જે કાંઈ કાય કયું છે તેના વિગતવાર હેવાલ આ સાથે જોડવામાં આવ્યા છે તે ધ્યાનપૂર્વક વાંચી જવાની દરેક વાંચકને વિનંતિ છે.

વ્યવસ્થાપક,
ગાંડીવ સાહિત્ય મંદિર.
 


બે બોલ

દક્ષીણ આફ્રિકામાં ફીનીક્સ ખાતે બહાર પડેલ "મારો જેલનો અનુભવ" આ ફરીથી બહાર પડે છે. એને માટે કારણ આપવાની શી જરૂર છે ? ઊલટું આશ્ચર્ય છે કે આજ સુધી ગુજરાતી જગત એનાથી વંચિત રહી શક્યું !

માત્ર નજરચુક તથા છાપચૂકનાજ દોષો સુધાર્યા છે. બાકી ગાંધીજીનું અમ્રત અણડહોળાયલું - જેમનું તેમ - અહીં રજુ કર્યું છે.

'જેલના અનુભવ' સાથે પાછળથી 'સત્યાગ્રહની છેલ્લી લડનો અનુભવ' જોડ્યો છે. મને વિશ્વાસ છે કે ' જેલનો અનુબવ' ચાખનારને તેમાં વળી ઓરજ સ્વાદ મળશે.

આ પુસ્તક પ્રગટ કરવામાં સત્યાગ્રહશ્રમ વાળા રા. છગનલાલ ખુશાલચંદ ગાંઘીએ ખૂબ મદદ કરી છે. આ સ્થળે તેમનો ઉપકાર ન માનું તો જરૂર ન ગુણો ગણાઉં. તેમજ આ પુસ્તકને ઉતાવળે - માત્ર દશ દિવસમાં - છાપી આપી; લોકમાન્ય પુણ્યતિથિ પર પ્રગટ કરવામાં સહાય કરવા માટે ભાઈશ્રી મગનલાલનો પણ મારે આ સ્થળે ઉપકાર માનવો ઘટે છે.

આશા છે કે જેના પ્રાગટ્યથી ગાંડીવ સાહિત્ય મંદિરની માંગલિક સ્થાપના થયેલી હું માનું છું, તેવા આ પુસ્તકને પ્રજા સહર્ષ વધાવી લેશે.

ઈશ્વરલાલ વીમાવાળા