પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 



જાબિર ઈબ્ને હૈયાન

અબૂ મૂસા જાબિર ઇબ્ને હૈયાન ૮મી સદીના અંત અને ૯મી સદીના પ્રારંભમાં થઈ ગયા. 'કીમીયાગિરી’ના પિતામહ ગણાતા જાબીર ઈ.સ. ૭૭૬માં તબીબી અને 'અલ્કેમી (કીમીયાગિરી)ની પ્રેકટિસ કુફા (ઈરાક)માં કરતા હતા. પ્રારંભમાં ઇમામ જાફર સાદિક અને ઉમૈયા વંશના રાજકુમાર ખાલિદ ઇબ્ને યઝીદ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. જાબિરના જન્મવર્ષ વિશે મતભેદ છે પરંતુ કેટલાક સ્રોત અનુસાર તેઓ ઈ.સ. ૭૨૧માં તુસ (ઈરાન)માં જન્મ્યા હતા અને ઈ.સ. ૮૧પમાં કુફામાં અવસાન પામ્યા. જાબીરના પિતા હૈયાન અલ અઝદી ઉમૈયા ખિલાફતના સમયમાં યમનથી કુફા સ્થળાંતર કરીને આવ્યા હતા. તેઓ ઔષધીશાસ્ત્રી હતા. જાબીર ખલીફા હારૂન અલ રશીદના દરબારમાં કિમીયાગર તરીકે રહ્યો અને ખલીફા માટે 'કિતાબ અલ ઝહરા' લખી. ઉમૈયા અને અબ્બાસીઓ વચ્ચે લડાઈ થતાં જાબીરના પિતા માર્યા ગયા. જાબીર અને એનું કટુંબ યમન પાછા આવ્યા જ્યાં જાબીરે કુર્આન, ગણિતશાસ્ત્રની પ્રેકટીસ શરૂ કરી.

વિશ્વના સૌ પ્રથમ 'રસાયણશાસ્ત્રી' ગણાતા જાબીર ઇબ્ને હૈયાને રસાયણશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કરી આધુનિક રસાયણશાસ્ત્રનો માર્ગ મોકળો કર્યો. એમણે નજ માત્ર રસાયણો શોધ્યા પરંતુ કેટલીક ધાતુઓ, સ્ટીલ બનાવ્યું, કપડાના રંગો, ચામડા ધોવાની રીત, વોટરપ્રુફ કાપડને વારનિશ, કાચની બનાવટમાં મેંગનીઝ ડાયોક્સાઈડનો ઉપયોગ, કાટને અટકાવવું, સોનેરી અક્ષરો, રંગોની ઓળખાણ વગેરેમાં મહત્વનું યોગદાન આપ્યું. જાબીર સૈદ્ધાંતિક કરતાં પ્રાયોગિક્ કાર્યો ઉપર વધુ ભાર આપ્યું અને કોઈ નવી ધાતુઓ બનાવવાની ચિતાં કર્યા વગર મૂળભૂત રાસાયણિક પદ્ધતિઓને ચોકસાઈપૂર્વક બનાવવા અને રાસાયણિક રિએકશન શોધીને આધુનિક રસાયણશાસ્ત્ર માટે પ્રદાન કરવા ઉપર ભાર મૂક્યો.

જાબીરે નાઈટ્રીક એસિડ, હાઈડ્રોકલોરિક એસિડ, સાઈટ્રીક એસિડ તથા ટાર્ટરિક એસિડ સૌ પ્રથમવાર બનાવ્યા. જાબીરે સલ્ફર પારો અને આર્સેનિક(ઝેર) તથા ગ્રીકો જેનાથી અજાણ હતા એવા સાલ એમોનીઆકના મિશ્રણથી 'સ્પીરીટ'નું નિર્માણ કર્યું હતું. વળી મિનરલ એમોનીયા અને બીજી જાતના રસાયણો કેવી રીતે બનાવી શકાય એવું જ્ઞાન પણ જાબીરને હતું.

સોનું બનાવવાની ધૂન સવાર થતા તેઓ વિશ્વના સૌપ્રથમ રસાયણશાસ્ત્રી બની ગયા. રસાયણ વિજ્ઞાનક્ષેત્રે એમણે કરેલા અસંખ્ય સંશોધનો પૈકી કેટલાક મહત્વનાં સંશોધનો આ છે. (૧) ધાતુઓના પરિશોધન (Sublimation)ની પદ્ધતિ