પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
નેતાજીના સાથીદારો
 


કર્નલ ધીલોનની વીરતાનો સાચો ખ્યાલ તો તેમની ડાયરીનાં પાનાઓ પરથી આવી શકે છે. એ ડાયરીનાં થોડાંક પાનાં આપવાં જરૂરી માન્યું છે.

આ પાનાંઓ ક્રમબદ્ધ આપી શકાયાં નથી, કારણ કે જે પાનાંઓ પ્રાપ્ત થાય છે તે ક્રમશઃ ગોઠવી શકાય તેમ ઉપલબ્ધ નથી. સૌથી છેલ્લે મેજર જનરલ શાહનવાઝખાન પરના પત્ર આપવામાં આપવામાં આવ્યો છે પણ ખરી રીતે એ પત્રને સ્થાન પહેલું જોઇએ. કારણ કે પત્ર લખાયા પછી તો પરિસ્થિતિ પલ્ટાઇ ગઈ હતી.

નં. એ./૧૯/૧૮
નં. ૧૨૫ યુનીટ. આ. હિં. ફો.
બર્મા. ૨૨ ડીસેમ્બર ૧૯૪૪


પ્રતિ,
લીસીઅન ઓફિસર,
હીકારી કીકાન

આઝાદ હિંદ ફોજે બે બ્રિટિશ ઓફિસરોને કેદ પકડ્યા છે.

બે પી. ઓ. ડબલ્યુ. સાથે એક રિવોલ્વર તેના કેસ સાથે હાથ લાગી છે તે જાપાની સૈનિકોએ લઈ લીધી છે. બ્રિટિશ ઓફિસરોને આઝાદ હિંદ ફોજે ગીરફતાર કર્યા હોવાથી તેઓ અમારા કેદી છે. તેમને અને રિવોલ્વરને અમારા વડા મથકે મોકલી આપશો. નકશા અને બીજી ચીજો જાપાનિઝોને તપાસ માટે જરૂરી હોય તો તેઓ ભલે રાખે. આભાર સહિત.

(સહી) જી. એસ. ધીલોન
કમાન્ડર નં. ૧૨૫ યુનીટ