લખાણ પર જાઓ

પૃષ્ઠ:Parkamma.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ ત્રીજું
૧૫૩
 

ગંગા સતી એમ બોલિયાં રે
તેજ પૂરણ અધિકારી કહેવાય.

અને સાસુએ તો વહુને ખોળામાં બેસારીને રસ–પ્યાલો પાયો–

ખોળામાં બેસારી તમને વસ્તુ રે આપું
જેથી આપાપણું ગળી તરત જાવે,
વખત આવ્યો છે. મારે ચેતવાનો પાનબાઈ,
માન મેલી થાવને હુશીઆર રે.

આપ્યો રસ ને ખોળામાં બેસાર્યાં
મૂક્યો મસ્તક ઉપર હાથ.
ગં ગા રે સ તી એ મ બો લિ યાં
ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ.

અને ભક્તિ એ તો રહેણીથી વેગળી વસ્તુ છે એવો પણ એક ભ્રમ છે, જેને ગંગા સતી પ્રાણ છોડતાં પહેલાં નિવારે છે—

માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ,
હવે આવી ચુક્યો પિયાલો,
કહેવું હતું તે તો કહી દીધું પાનબાઈ,
હવે રે’ણી પાળવા હેતથી હાલો.

રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ,
રે’ણી થકી રસ શરીરમાં પરવરે,

***

રે’ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ,
રે’ણી થકી પાર પોગી જવાય,
રે’ણી તો સરવથી મોટી રે પાનબાઈ,
રે’ણીથી મરજીવા બનાય.

એવું પ્રબોધીને ગંગા સતી સ્વધામ ગયાં. પ્રથમ તો પાનબાઈને અરસોસ થયો; પછી—