આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
- પછી આ લેખક પૂછે છે:
- "૧. કાચો માલ જ્યારે નાનાં છોકરાં વાપરે ત્યારે એમના ઘણો બગાડ થવાની ગણતરી આપણે ન રાખવી ઘટે?
- ૨. તૈયાર માલનું વેચાણ કોઈ મધ્યવર્તી સંસ્થા કરશે ? એના ખરચનું શું ?
- ૩. એવા ભંડારોમાંથે ચીજો લેવાની પ્રજાને ફરજ પાડવામાં આવશે ?
- ૪. જે વર્ગો અત્યારે આ ચીજો બનાવે છે તેમનું શું ? એમની અપ્ર આની શી અસર થશે?"
- મારા જવાબ આ પ્રમાણે છે :
- "૧. બેશક કમીક બગાડ તો થશે જ, પણ પહેલા વરસની આકહ્રે પણ દરેક બાળકે કંઈક નફો કર્યો હશે.
- ૨. આમાંનો ઘણો માલ રાજ્ય પોતાની જરૂરિયાતોને માટે રાખી લેશે.
- ૩. રાષ્ટ્રનાં બાળકોએ બનાવેલી ચીજો ખરીદવાની કોઈને ફરજ નહીં પડવામાં આવે; પણ રાષ્ટ્ર પોતાનાં બાળકોએ બનાવેલી ચીજો પોતાના વાપરને માટૅ ગર્વભેર અને દેશપ્રેમભર્યા આનંદપૂર્વક ખરીદે એવી અપેક્ષા જરૂર રાખેલી છે.
- ૪. ગામડાંના હાથૌદ્યોગથી બનેલી ચીજોમાં હરીફાઈ ભાગ્યે જ હોય છે. અને કોઈ પણ ગામઠી બનાવટોની જોડે અઘટિત હરીફાઈમાં ન ઊતરે એવી જ ચીજો નિશાળોમાં બનાવવામાં આવે એની કાળજી અવશ્ય રાખવામાં આવશે. દાખલા તરીકે ખાદી, ગામઠી કાગાળ, તાડનો ગોળ વગેરેને કોઈ હરીફ છે જ નહીં."
ह० बं०, ૧૭-૧૦-'૩૭