પિતામહ ૨૫૭ દુર્યોધન ઊભા ઊભા પિતામહ ને અજુ ન વચ્ચેના સંવાદ સાંભળતા હતેા. તેના મનમાં પિતામહ વિષે કટુતા ઘૂંટાતી હતી. અર્જુન પિતામહની બાણુરીયાની જમણી દિશા તરફ વળ્યા. બાણશય્યાની નજદિકની જમીનને બાણુથી વીંધીને પૃથ્વીના ઊંડાણ- માંથી નિ`ળ શીતળ જળના ફુવારા ઉડતા કર્યાં ને પિતામહને તે પાણીનું પાન કરાવ્યું. દિવસેાની તૃષા આમ શાંત થતાં જાણે તેમની ચેતના ફરી જાગ્રત થઈ હાય એમ તેમણે યુધિષ્ઠિરને કહેવા માંડયુ, · યુધિષ્ડિર, તમને ન્યાય દેવા માટે મેં દુર્યોધનને ઘણુંા સમાવ્યા, પણ તેણે મારું સાંભળ્યું` જ નહિ. હું જાણતા હતા કે દુર્યોધન કાર્ટની સલાહ કે શીખ સ્વીકારતા નથી. હવે ભીમના પરાક્રમે તેના પરાજય થશે ને તે પોતે પણ મૃત્યુ પામશે.' દુર્યોધન ત્યાં ઉપસ્થિત હતા. પિતામહ તે જાણતા પણ હતા. તેમના દિલની દારુણ વ્યથા વ્યક્ત કર્યા વિના રહી શકયા નહિ. તેમણે દુર્યોધન પ્રતિ દૃષ્ટિપાત કરતાં કહ્યું, 'દુર્યોધન, તને મારા વચનાથી દુઃખ થયુ. જ હશે, પણ શું કરું ભાઈ! જે નિશ્ચિત્ત છે તેની જાણ કરવી એ મારી વડીલ તરીકે ફરજ છે. એટલે તને આ મૃત્યુશૈય્યા પર પડવો પડયો કહુ છુ. તુ મારી વાતને! મમ્ બરાબર મમજી લે ભાઈ. પાંડવાની સાથે હજી પણ સુલેહ કરી લે. તેમનુ જે હાય તે તેમને હવાલે કર.' પછી નિ:શ્વાસ નાંખતા પેાતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરતા ાય એમ માલ્યા, ‘આ દેહ પડે તે પહેલાં તમે ભાઈ સાથે હૈ। ને યુદ્ધની તબાહીના અંત આવે એ જોવાની મારી ઇચ્છા છે.’ પિતામહ લાગણીને ધેાધ વહાવતા હતા, પણ દુર્યોધન જડશે ઊભા હતા. પિતામહના શબ્દો જાણે તેને સ્પશી જ શકયા ન હેાય એમ યથાવત મૂંગા મૂંગા ઉઘાડી આંખે જોતા હતા. પિતામહના શબ્દો તેના દિલની વેદનાને ઉત્તેજતા હતા..