૨૬૪ પિતામહ આશિષ વચને સાથે પાછા ફર્યાં. યુધિષ્ઠિરના મનના વિષાદભાવ શાંત થયા હતા. ક્ષાત્રતેજથી તેમના ચહેરા દેદીપ્યમાન લાગતા હતા. ખીજા દિવસે સૂર્ય` ઉત્તરાયણના થયા. પિતામહના નિર્ધાર પ્રમાણે હવે તેના દેહત્યાગ કરવા માટેની માનસિક તૈયારી કરતા હતા ત્યાં ધૃતરાષ્ટ્ર, કુંતી, ગાંધારી, યુધિષ્ડિર, બ્રહ્મષિ એ, રાજાઓ, પિતામહની બાણશય્યા આગળ જમા થયાં. હળવે હળવે પિતામહ પ્રાણત્યાગની ક્રિયા કરતા હતા, પણ ધૃતરાષ્ટ્રને જોતાં તેમણે ક્રિયા થંભાવી અને ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહી રહ્યા, ‘હે ધૃતરાષ્ટ્ર, તું સ ધર્મોના જાણકાર છે. જે કાંઈ થઈ ગયું તેના શાક હવે કરવા નકામેા છે. આ પાંડવેાનુ.. તું સ્થિર સુદ્ધિ રાખીને રક્ષણ કરજે.' પિતામહ હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તેમના દેહમાંથી પ્રાણ હવે વિદાય લઈ રહ્યો હતા. તેમની ગતિ પણ શાંત પડતી હતી. ત્યારે તેમણે શ્રીકૃષ્ણે પ્રતિ બે હાથ જોડી વંદન કરતાં કહ્યુ', આપને મારા છેલ્લા નમસ્કાર ! હવે હુ મારા આ દેહને ત્યાગ રું છું. મને આજ્ઞા આપે.' પેાતાની આસપાસ જમા થયેલા સૌને છેલ્લા નમસ્કાર કરતાં તેમણે કહ્યુ', ‘હવે હુ'પ્રાણના ત્યાગ કરું છું. તમે સૌ સત્યને જ વળગી રહેજો.' પિતામહે તેમના પિતા રાજા શાન્તનુએ જે વરદાન દીધુ હતુ. તે પ્રમાણે તેમની ઇચ્છા પ્રમાણે જ તેમણે પ્રાણત્યાગ કર્યાં.