પાળિયા-ખાંભી
ગામડાંના પાદરોમાં પથ્થરમાં કોતરેલાં મૃત્યુ-સ્મારકો જોવા મળે છે. તેમાં ઘોડેસવાર, પગપાળો, ઊંટ-સવાર, રથ-સવાર વગેરેનાં શિલ્પો કંડારેલાં હોય. કોઈમાં કાટખૂણા જેવો હાથનો પંજો કે કોઈ સ્ત્રી મૃત માનવીને બે હાથમાં ઉપાડીને લઈ જતી હોય. આ બધાને સામાન્ય રીતે પાળિયા કે ખાંભી કહીએ છીએ. પણ, આ મૃત્ય-સ્મારકોમાં વિવિધ ભેદો છે. જેમ કે, ગામનું કે અબળાનું રક્ષણ કરતાં મૃત્યુ પામેલા શૂરવીરના સ્મારકને પાળિયો કહેવાય. યુવાન, સાજોનારો માણસ અકસ્માતથી, સર્પદંશથી કે આપઘાતથી મર્યો હોય તેના મારકને સુરધન કહે. કોઈ રાજા કે શ્રેષ્ઠી ગોચર માટે જમીન આપે કે બ્રાહ્મણને દાન આપે તેના માટેના લખાણવાળી શિલા ખંભ કે ખાંભી કહેવાય. ગામ બચાવવા કોઈ વીરાંગની ખપી ગઈ હોય તેનો પાળિયો, પતિની પાછળ સતી થાય તેની ખાંભી, આપઘાતથી મરેલી સ્ત્રીની શિકોતરની ખાંભી. મૃત્ય-સ્મારકના આવા બાવીસેક પ્રકારો છે: પાળિયા, ખાંભી, શૂરાપૂરા, કેશ, પાવળિયા, દેવલા વગેરે. (ખોડીદાસ પરમાર).
❀
રૂઢિપ્રયોગો
|
|