૩૪
" અને, હે ભાઈ!
સમજ્યે માંય શરીર, નવઘણ નવસોરઠધણી !
તારી આડે – તારી રક્ષા ખાતર – તે મેં મારા માડીજાયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી. હે નવ સોરઠના ધણી નવઘણ, તારા અંગમાં આ વાત તું બરાબર સમજજે !
પણ શું બન્યું છે? બે'નડી ઉપર શી વિપત પડી છે ? બહેન આજ આવાં આકરાં સંભારણા કાં આગળ ધરી રહી છે ? પછીનો સોરઠો વાંચ્યો :
વીર, વમાસી જોય, નવઘણ નવસોરઠધણી !
હે વીરા ! તું વિચાર તો કર કે તારા જેવો ભડ ભાઈ જીવતાં છતાં આ બધું આ જ મારી ઉપર વીતી રહ્યું છે કે જે તું નહોતો ત્યારે કદી જ નહેાતું ભોગવવું પડયું. વિધાતાના કેવા વાંકા લેખ !
" હે ભાઈ !
સોરઠ સતાળો પડ્યો, વરતવા આવ્યા વીર !
સોરઠ દેશમાં સુડતાળો કાળ પડયો, નદીમાં ને કૂવામાં નીર ખૂટી ગયાં, અમારાં ઢોરને કોઈ આધાર ન રહ્યો, એટલે અમારે ભેંસો હાંકીને પેટગુજારા સારૂ છેક અાંહી સિંધમાં આવવું પડયું.
" અાંહીં અમારા શા હાલ થયા છે ?
અહરાણ ઉર પિયાં, નવઘણ નીકળાયે નહિ.
મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાંઓની મેલી નજર પડી છે, એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે.