આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હરિ પર્ણ જીવ રકાર ક્રમ, એક કર્મ રૂપે હોય;
ભળી ગયાનો આકાર, અધ શિર છત્ર સેવક જોય. ૪
સનકાદિ વિષ્ણુ વિલોકી કહ્યું, અધિક સ્વરૂપાનંદ;
અમો બ્રહ્માનંદ પણ અનુભવ્યો છે, આ થકી અતિ મંદ. ૫
શુકદેવજી પણ બ્રહ્માનંદ નિમગ્ન હુતા સત્ય;
ઉધ્ધાર કીધો ત્યાં થકી સ્વરૂપાનંદ અધિકો અન્ય. ૬
જો ભિન્ન નહોતા બ્રહ્મથી તો, નીકળ્યા કહો ક્યમ ?
તે માટ્ય માથાકૂટ મૂકી, પૂજ્ય પુરષોતમ. ૭
ભાખિયું ભક્ત્યાચાર્ય માર્ગ, જ્ઞાન ભ્રાંતિ મૂળ;
જન દયાપ્રીતમ સેવવા, તેને નહિ અનુકૂળ. ૮