આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩)
રસિકવલ્લભ
ઢાળ.
મન ક્રોધ ઉપજે એવું અવળું પૂછવું પડશે ખરૂં;
તે વિના ભ્રમ ભાગે નહીં, માટે પ્રથમ વિનતિ કરૂં. ૩
મેં સંગ કર્મઠ બહુ કર્યા, સંન્યાસી યોગી અત્ય;
તેથી તમારા વચનમાં, સંશય રહે કહું સત્ય.[૧] ૪
આપે કથા અદ્ભૂત કહી, મેં શ્રવણ કીધી સાર;
તે તદ્યપિ ઉરમાં નવ ઠરી, ત્યાં સંશય સભર વિકાર.[૨]૫
જ્યાં લગી સંશય ત્યાં લગી, પ્રભુ સફળ થાય ન ધર્મ;
તે માટે નિઃસંદેહ થાવું શ્રીગીતા ભાખ્યો મર્મ. [૩] ૬
ઉપદેશ માત્રજ આપથી, પામ્યો પૂર્વ ગુરૂરાય;
સમજ્યો ન સ્વસિદ્ધાંત પૂરૂં જે ન કહ્યું ચિત્ત જાય. [૪] ૭
દયાપ્રીતમ દાસ ના સંગ, (જે) સિદ્ધાંત સમજું સત્ય,
એવી દશામાં તીર્થ કરવા ગયો * કાચી મત્ય. [૫] [૬]૮
- ↑ ૪. કર્મઠ–કર્મવાદી–યજ્ઞયાગાદિકમાંજ પરમાર્થ માનનાર. અત્ય-અતિ.
- ↑ પ. સંશય ઈ૦–કેમકે ત્યા સંશય રૂપી વિકાર સભર ભરેલા છે.
- ↑ ૬. શ્રીગીતા ભાખ્યો મર્મ– अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥४-४०॥ (ભ૦ ગી૦ અ૦ ૪), - ↑ ૭. પૂર્વ–પૂર્વે સ્વસિદ્ધાંત–વલ્લભી સંપ્રદાયનો સિદ્ધાંત. જે ઈ૦– જે ન કહ્યું ત્યા મારૂ ચિત્ત જાય કેમકે હું સિદ્ધાંત સમજ્યો નહોતો.
- ↑ ૮ દયાપ્રીતમ ઈ૦— દયારામના પ્રીતમ (કૃષ્ણ)ના દાસનો પણ મને સંગ નહોતો કે જેથી સત્ય સિદ્ધાંત હું સમજી શકું. એવી દશાના કાચી મતિનો હું તીર્થ કરવા ગયો.
- ↑ * આ પદના છેલ્લા ચરણથી તેમ હવે પછી જે પદ આવશે તેના સંદર્ભ પરથી અનુમાન થાય છે કે દયારામે આ ગંથ પોતાના વીતક તરીકે લખ્યો છે અને તેમા શિષ્યને સ્થાને દયારામ પાતે આરોપિત થયા છે.