પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

વીતરાગી થાવું કર્મજડથી, ભક્તિમાં વિક્ષેપ;
વિશ્વાસ દૃઢ હરિ સેવતાં, કર્મનો ન અડે ચેપ.
તું કહેશ કર્મ કદા ન તજવાં, વેદ વાણી ખ્યાત;
સર્વાત્મભાવે હરિ શરણ, નથી ગયા તેહની વાત.
સહુ કર્મ તજી હરિને ભજે તેથી ધર્મ સહુ ઠેઠ;
ત્રય કોટિ ઋષિ તે ભક્ત કર્મની, ભોગવે છે વેઠ.
હરિભજન અર્થે સ્વધર્મ મૂકે, કદિ પડે જો કાચો;
તોપણ નથી જ અભદ્ર તો, શો લાભ સ્વધર્મ સાચો.
શત જન્મ સ્વધર્મનિષ્ઠ નર, લોકે વિરંચિ જાય;
ભગવદી તેજ તનું તજે, પદ પરમ પ્રાપ્તિ થાય.
સેવા સદા શ્રીકૃષ્ણ કરવી, તે જ વર એક કર્મ;
જન દયાપ્રીતમ જગન્નાથજી, વદ્યા મોટો ધર્મ.