આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવઃ સાહિત્ય-જીવન (૨)
૨૪૫
સ્થળસંકોચ અને સપ્રમાણતા મને આટલેથી અટકવાના આદેશ આપે છે, ત્હોયે થોભતાં થોભતાં બે બોલ કહી નાખું. પોણોસો વર્ષનું આયુષ્ય વટાવી ગયેલા આ સમર્થ સાહિત્યભક્તને, આ ભાવવાહી ભાષાંતરકારને ભરપુર ભક્તિભાવે અને પ્રણતશિરે હું પ્રણામ દાખવું છું. અંતમાં, તેમનો શબ્દદેહ વધુ વર્ચસ્ દાખવે, તેમની લેખિની તેમના સકલ જ્ઞાનભંડાર ખૂલ્લા કરે, અને તેમનાં દીર્ઘ આયુષ્ય અને દૃઢ સાહિત્યસેવા ગુજરાતી સાહિત્યને વધુ ઉપકારક થાય એમ આજે જગત્પિતાને પ્રાર્થીને વિરમું છું.