પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ઇસ્લામ

બીનઈસ્લામ દૃષ્ટિએ

ઇસ્લામ એક મહાન ધર્મ છે, એની કોઈથી ના પાડી શકાય એમ નથી. ઇતિહાસનું એક પ્રકરણ તો એમ ચોખ્ખું કહે છે કે ઈસ્લામ આઠમી નવમી દસમી સદીમાં આખા યુરોપનો પ્રજા–ધર્મ બનતો સહજમાં રહી ગયો. હજી પણ યુરોપના કેટલાય સરહદ વિભાગોમાં ઈસ્લામની અસર જીવંત છે. એશિયા અને આફ્રિકાના વિશાળ પ્રદેશોમાં સ્વીકાર પામી યુરોપ ઉપર પોતાની છાપ મૂકી જનાર ધર્મને મહાન ન કહીએ તો કોને મહાન કહીએ?

માત્ર તલવારના બળથી એ ધર્મ સ્થપાયો અને ફેલાયો એવો એક ભ્રમ પણ પ્રવર્તે છે. હજી માનવજાતે તલવાર છોડી નથી. એટલે ઘણી વાર એ એમ માનવા લલચાય છે કે તલવારથી માનવીને અનેક સિદ્ધિઓ મળી રહે છે. હિંદુ, મુસલમાન, બૌદ્ધ, ખ્રિસ્તી એ સહુએ તલવાર વાપરી છે અને તલવારે કદાચ તાત્કાલિક વિજયની ઇન્દ્રજાળ રચી એમ લાગે ખરું. પ્રજાસ્વાતંત્ર્ય અને પ્રશાસનની સુફિયાણી વાતો કરી જાપાનને માત્ર બે જ અન્યાસ્ત્રથી મહાત કરી મોટાઈ માનતા અમેરિકાના એટમ બોમ્બ એ તલવારનું જ અતિમ સ્વરૂપ જ. તલવાર ખેલનારનો તલવારથી જ વિનાશ સર્જાયેલો છે. એ બાઈબલનું કથન ખ્રિસ્તીઓને લાગુ પડે જ છે. કોઈ પણ ધર્મે તલવારને અંતિમ વિજયદાયિની માની જ નથી; ઈસ્લામે પણ નહિ. 'ઈસ્લામ' શબ્દમાં જ તલવારનો અભાવ છે.

'ઈસ્લ' નો શબ્દાર્થ જ શાન્તિ !

'ઈસ્લામ' નો શબ્દાર્થ જ સૂચવે છે કે, ઈશ્વર આજ્ઞા સમક્ષ– ઈશ્વરેચ્છા પાસે ગરદન ઝુકાવવી !

શાન્તિ અને ઈશ્વરઆજ્ઞાનું પાલન જે ધર્મમાં આદેશરૂપ હોય, જે ધર્મનું નામ પણ એ આદેશ ઉપર રચાયેલું હોય એ ધર્મ