લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬ : સાહિત્ય અને ચિંતન
 

પ્રગતિશીલ છે ખરો ?

હરકોઈ ધર્મ પ્રગતિશીલ બની શકે કે કેમ ? બની શકે તો કેટલે અંશે ? એ અંશ પૂરો થયા પછી ધર્મ માનવજાતની પ્રગતિ રોધતો એક પાપપર્વત બની જાય છે કે નહિ ? આવા આવા પ્રશ્નોની પરંપરા સર્વ ધર્મની સીમા આજ ટૂંકી પડતાં ઊભી થઈ છે. એ પ્રશ્નો ઉકેલવા પડશે અને ધર્મને પ્રગતિરોધક જ્યાં દેખાશે, ત્યાં માનવીની કુદરતી માનવતા તે ધર્મને તોડશે કે તેનું રૂપાંતર કરશે એ બહુ જ સાચી વાત છે. પરન્તુ એ ચર્ચા અત્રે જરૂરની નથી. અત્રે તો આપણે ઈસ્લામની પ્રગતિશીલતાનો પ્રશ્ન વિચારીએ છીએ.

જો ખ્રિસ્તી ધર્મ પ્રગતિશીલ હોય તો ઈસ્લામ શા માટે પ્રગતિશીલ ન હોય ?

જો હિન્દુ ધર્મ પ્રગતિશીલ હોય તો ઈસ્લામીઓ ઈસ્લામને શા માટે પ્રગતિશીલ ન ગણાય ?

ઈસ્લામમાં એવું શું છે અને શું નથી કે જે ઈસ્લામને પ્રગતિશીલ બનાવતાં રોકે ? ઈસ્લામ પણ માનવીએ જ સ્વીકારેલો એક ધર્મ છે !

કયો ધર્મ મોટો અને કયો ધર્મ ખોટો એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે, વાહિયાત છે. હાલના સર્વ જીવંત ધર્મોએ માનવજાતને સંસ્કારી બનાવવામાં, માનવજાતને ઉચ્ચત્તર જીવન ગાળવામાં સહાય આપી જ છે. આજનો મહાન પ્રશ્ન ધર્મઝગડો નહીં, પણ ધર્મસમન્વય છે.

છતાં ઈસ્લામની પ્રગતિશીલતા સમજવા માટે એક પ્રશ્ન વિચારી લઈએ.

વ્યાજને ઈસ્લામ સિવાય બીજા કોઈ ધર્મે હરામ ગણ્યું છે ખરું ?

નફાખોરીનાં મૂળ ઉખાડી નાખનારી, વ્યાજને નિષિદ્ધ ગણુનારી માન્યતા સમાજવાદ–સામ્યવાદનો આછો પડઘો શું નથી પાડતી ? ઇસ્લામની એ ભવ્ય પ્રગતિશીલતા. અર્થશાસ્ત્રીએ ભલે એ ન માને !

મદિરાપાનનો જેવો જબરદસ્ત વિરોધ ઈસ્લામે કર્યો છે એવો બીજા કોઇ ધર્મે કર્યાં છે ખરો?

દારુએ માનવ જાતનું ભક્ષણ કરતો વિકરાળ વ્યાધિ વર્ત