પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

૯૮ સંસ્કૃત સાહિત્યની કથા અને પિતૃએને અમૃતદાન દઈ પુષ્ટ કરેા છે; રાત્રે અંધકારને નાશ કરે છે; એવા મહેશ-મસ્તકે વિરાજનાર, ચદ્રભગવાનને મ્હારા નમસ્કાર હો!” ઘેાડી વાર ચંદ્ર સામું જોઇ વળી રાજા કહેવા લાગ્યાઃ મિત્ર, હજી એક મુર્ત પછી રાણીનું આગમન થશે. એટલામાં હું મ્હારી અવસ્થા હને કહું તે સાંભળઃ હાલમાં, મનમાં અતિશય ઉદ્વેગ રહ્યા કરે છે. જેમ એક નદીનેા પ્રવાહ ખડકા અને પથરામાં અથડાઈ ફૂટાઇ વિશેષ જોસમાં વહે છે, તેમ મ્હારા સમાગમ સુખમાં વિઘ્ન આવવાથી મ્હારી મદનવ્યથા સે ગણી વધે છે.’’ એટલામાં ઉર્વશી અને ચિત્રલેખા ત્યાં આવી પહોંચ્યાં અને છૂપી રીતે રાજાનું એકાન્ત કથન સાંભળવા લાગ્યાં. (C રાજાએ આગળ ચલાવ્યું: મિત્ર, જેમ રાત્રિ વધે છે તેમ મદનબાધા પણ વધતી જાય છે. ’’ માણવકે સલાહ આપીઃ “ ત્યારે, મહારાજ, આ ચંદ્રનાં અમૃતમય કિરણોને ઉપભાગ કરેા, જેથી આપને શાંતિ વળશે. ’’ રાજાએ ઉત્તર આપ્યાઃ મિત્ર, આ રાગમાં એમ બનવું શકય નથી. તાજા પુષ્પની શય્યાથી, ચંદ્રનાં કિરણાથી, સર્વાગે ચાપડેલા ચંદનથી કે મેતીની માળાએથી આ દુ:ખ શમે એમ નથી. તે દિવ્ય સુંદરી જાતે આવીને મ્હારી વ્યથા દૂર કરી શકે, અગર તે હેના વિષેની વાતથી મ્હારૂં દુ:ખ કૈંક એછું થાય. .અરે રે ! થના હેલકારાથી આ એક ખાંધ ઉશીની ખાંધને અથડાઇ હતી, માટે આખા શરીરમાં એ એક જ અંગને ધન્ય છે: બાકીનું શરીર તે પૃથ્વીને ભારરૂપ છે. ’’ (C .. આ શબ્દો સાંભળી ઉર્વશીથી રહેવાયું નહિ. તે એકદમ રાજાની આગળ પ્રકટ થતી હતી, એટલામાં પધારીયે, બા સાહેબ. ઘણી ખમા’’ એવા શબ્દો હૈના કાને પડયા. તેથી તે અટકી ગઈ. રાજા પણ રાણીનું આગમન જાણી ખેલતા અટકી ગયેા. તરત જ રાણી અગાશીમાં આવી પહોંચી. હણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. આભૂષણે પણ ચેડાં અને તે માત્ર સાભાગ્ય- સૂચક જ. દેવને ચઢાવેલી પવિત્ર દૂર્વા હેણે મસ્તક ઉપર વાળમાં ખેાસેલી હતી. વ્રત કરેલું હાવાથી હેણે પેાતાના અભિમાનને ત્યાગ કર્યા હતા. હેનું મન પણ આનંદી અને શાંત લાગતું હતું. સાથે નિપુણિકા વગેરે દાસીએના હાથમાં પૂજાને સામાન હતેા. જેનું Gandhi