પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૩


[૧]यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् ॥

“ એ શ્રેષ્ટ યજ્ઞમાં એ પરમ પુરુષ જાતે જ યજ્ઞનું પશુ [૨]થાય છે, વસન્ત એનું આજ્ય[૩] થાય છે, ગ્રીષ્મ ઇન્ધન [૪], થાય છે, અને શરદ્ હવિ[૫]થાય છે. ચારે વેદ એ યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે. એમાં યજમાન અને હોતા દેવો અને ઋષિજનો થાય છે. એ પુરુષસાથે અદ્વૈત પામવાનો[૬] આપણો વિધિ એ યજ્ઞમાં ભળવાથી સધાય છે. વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રવૃત્તિઓનો અભેદ થાય એટલી આમાં ફલજિઘત્સા [૭] છે. આ ફલજિઘત્સાને જ શુદ્ધ નૈષ્કામ્ય અને બ્રહ્માર્પણ ક્‌હે છે. જીવ અને ઈશ્વરનો, ઈશ અને અનીશનો, અદ્વૈતયોગ આથી જ સધાય છે. બ્રહ્મ, ઈશ અને જીવ, અથવા પરમ અલક્ષ્ય, પરમ લક્ષ્ય પુરુષ, અને જીવસ્ફુલિંગ એ ત્રણેનો ત્રિયોગ સાધવાનું આ પ્રથમ પગલું છે. કર્મમાત્રનો યોનિ લક્ષ્ય બ્રહ્મ છે અને લક્ષ્ય બ્રહ્મનો યોનિ અલક્ષ્ય અક્ષર બ્રહ્મ છે.[૮] સ્વયોનિલાભથી કર્મ લક્ષ્ય બ્રહ્મમાં અને લક્ષ્ય અલક્ષ્યમાં શાંત થાય છે તે આ જ ત્રિયોગથી થાય છે. ભૂતમાત્રને આત્મવત્ ગણી આત્મસાત કરવાનો માર્ગ તો આપણા પંચમહાયજ્ઞથી જ સધાય છે, તેમાં આવી નિષ્કામતા, આવા શિષ્ટતમ હેતુ, અને સર્વભૂતના કલ્યાણરૂપ આવું ફળ છે."

"સંસારના પંચમહાયજ્ઞ પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ભૂતયજ્ઞ, દેવયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ એવા ગણાય છે. સાધુજનોના યજ્ઞોનાં નામ એવાં જ છે પણ તે યજ્ઞોના આત્મા અને શરીર જુદા પ્રકારનાં છે. પરમ પુરુષના પરમયજ્ઞમાં પુરુષ પોતે જ પશુસ્થાને બલિરૂપ થઈ હોમાય છે, તેમ પુરુષસ્ફુલિંગ જીવાત્મા સાધુજનોના આ પંચયજ્ઞમાં જાતે જ પશુવત્ હોમાય છે – જીવાત્મા સૂક્ષ્મ અને કારણ શરીર સહ વર્તમાન આમાં પશુ થઈ મેધ્ય થાય છે. ભોગાયતન સ્થૂલ શરીર છે તે આ યજ્ઞની વેદી થાય છે. વ્યોમચારી પક્ષી ચાંચમાંનું ફળ કોઈ વૃક્ષ ઉપર બેઠા વિના ભોગવી શકતું નથી તેમ જન્મપરંપરાનું પક્ષી સુક્ષ્મ શરીર સ્થૂલશરીરમાં


  1. ૧. દેવોએ યજ્ઞવડે યજ્ઞનો ત્યાગ કર્યો ! પ્રથમ ધર્મ આવા હતા.
  2. ર. યજ્ઞમાં બલિદાનમાં આપવાનું પશુ – બકરો વગેરે.
  3. ૩. ધી.
  4. ૪. બળતણ.
  5. પ. હોમવાનું અન્નાદિ, ત્રીજો ભાગ, પૃષ્ઠ ૧૧૪.
  6. ૬. ત્રીજો ભાગ પૄષ્ઠ ૧૧૪.
  7. ૭. ત્રીજો ભાગ પૄષ્ઠ ૧૧૪.
  8. ૮. ત્રીજો ભાગ પૃષ્ઠ ૧૧૯-૧ર૦.