પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૫
બારડોલી સત્યાગ્રહ


સાહેબો : ‘ખેડૂતોને ખોટ જાય છે એ ધારો કે માની લઈએ, પણ એટલી જ જમીન એ ગણોતે આપતો હોય તો તેને ફાયદો થાય, એટલે મહેસૂલ તેની ઉપર શા માટે ન લેવું ?’

અમે : ‘પણ સાચી વાત એ છે કે એમ ખેડૂતો પોતાની જમીન ગણોતે આપતા નથી, અને બધા ગણોતે આપે તો ગણોતે લે કોણ ?’

‘પણ જે આપે તેને તો ફાયદો થાય છે જ ના ?’

‘પણ એ કેટલા આપે છે એ જ પ્રશ્ન છે. આપ જો અમને સિદ્ધ કરી આપો કે ૮૦ થી ૯૦ ટકા ખેડૂતો જમીન ગણાતે આપે છે, તો તમે ભલે તેમના ગણોત ઉપર કર લો.’

‘પણ ગણોત ઉપર મહેસૂલની ગણતરી કરવાનો અમને પણ મોહ રહ્યો નથી. અમારું કહેવું તો એ છે કે આકારને માટે કાંઈક આધાર તો જોઈએ જ ના? તમે નફાતોટાની ગણતરી કરો છો તે ગણતરી બરાબર કરવી અને તપાસવી એમાં તો કેટલાય દિવસો જાય અને એ કેટલી કડાકૂટનું કામ ?’

‘એના કરતાં વધારે કડાકૂટનું કામ ગણાતો તપાસવાનું તમને નથી લાગતું ? અને છતાં ગણોતો તો વિશ્વાસપાત્ર મળતાં નથી !’

‘પણ અમે ક્યાં ગણોતના આધારને વરેલા છીએ. અમે તો કહીએ છીએ કે આવી ગણતરી કરવામાં તો દરેક ગામડે બેત્રણ અઠવાડિયાં રહેવું જોઈએ.’

‘એ તો રહેવું જ પડે છે. સેટલમેન્ટ ત્રીસ વર્ષ માટે કરવું એ કંઈ રમત વાત છે ? એને માટે ગામેગામ અને ખેતરે ખેતરે તપાસ કરવી જોઈએ.’

‘એ વાત તો સાચી. પણ એને માટે કેટલા માણસ જોઈએ, સરકારને પગાર કેટલા આપવા પડે ?’

‘એ તો આપ જાણો. આપની આગળ તો અમે હકીકત મૂકી. એના ઉપર આપ વધારે વિચાર કરજો.’

અત્યાર સુધીમાં સાહેબને અમારે વિષે વિશ્વાસ પડવા માંડ્યો હતો. અમે જે ખુલાસા આપતા તે એમને મદદ કરવા માટે આપવામાં આવતા હતા એવી તેમની ખાતરી થઈ. રિપોર્ટમાં અમને પક્ષકાર ગણવાને બદલે તેમણે પોતાના સાથી કાર્યકર્તાઓ કહ્યા છે. અને અમારે વિષે નીચે પ્રમાણે નોંધ કરી છે :

“આ સજ્જનોએ પોતાની રીતે ઘણી ઉપયોગી માહિતી ભેગી કરીને અમને રજૂ કરી, તે ઉપરાંત એઓ ગણોત અને વેચાણના બધા દાખલા આગળથી નોંધી રાખતા, અને દરેક કિસ્સા વિષે એટલી વિગતવાર ખબર