પ્રજા પ્રતિનિધિ સભા
૨. જાડેજા જીવણસિંહુજી ધીરુભા
૩. શેઠ દાદા હાજી વલીમહમદ
૪. મિ. પોપટલાલ ધનજીભાઈ માલવિયા
મ્યુનિસિપલ કૉર્પોરેશન
૬. ડૉ. ડી. જે. ગજ્જર
૭. શેઠ હાતુભાઈ અબદુલઅલી
કમિટી તેમનો રિપોર્ટ સંપૂર્ણ અને બારીક તપાસ કરી રજૂ કરશે એમ આશા રાખવામાં આવે છે.
ઠાકોરસાહેબ સ્વ. રાજકોટ”
ઉપરનું જાહેરનામું બહાર પડયું એટલે રાજકોટનું સમાધાન ભાંગી પડવાથી, રાજકોટની પ્રજાને સત્યાગ્રહની લડતો ફરી શરૂ કરવાની હાકલ કરતાં સરદારે રપ-૧-'૩૯ના રોજ નીચેનું છાપાંજોગું નિવેદન બહાર પાડયું:
"રાજકોટ સત્યાગ્રહની લડતની સુખદ પૂર્ણાહુતિ થઈ લાગતી હતી. પણ ઘણી જ દિલગીરીપૂર્વક તેની ફરી શરૂઆત કરવાની હાકલ કરવાનો પ્રસંગ આવ્યો છે. એ વાતનું મને ઊંડું દુ:ખ છે. છતાં રાજ્યની પ્રતિષ્ઠાને ખાતરી તેમ જ રાજકોટની પ્રજાના સ્વમાનની રક્ષાને ખાતર લડત ફરી શરૂ કરવાનો ધર્મ થઈ પડ્યો છે.
"પ્રજાને સ્મરણ હશે કે રાજકોટ રાજ્યના ગેઝેટમાં તા. ૨૬–૧૨–૩૮ના રોજ જાહેર થયેલું સમાધાન ( અગાઉ અપાઈ ગયું છે) તા. રપમીની સાંજે તથા રાતના લગભગ આઠ કલાક સુધી રાજકોટ ઠાકોરસાહેબ અને સર પેટ્રિક કૅંડલ, શ્રી માણેકલાલ પટેલ તથા શ્રી જોબનપુત્રા જોડે ચાલેલી અને રાતના પોણાબે વાગ્યે પૂરી થયેલી વાટાધાટને પરિણામે થયું હતું.
"અહીં યાદ રાખવું જરૂરનું છે કે, રાજકોટના સમાધાનની વાટાઘાટ કરવા હું ઠાકોરસાહેબના આમંત્રણથી ગયો હતો. સમાધાન પછી થોડા દિવસમાં સર પેટ્રિક કૅંડલ પોતાના હોદ્દા ઉપરથી નિવૃત્ત થયા.
“મારે ખેદપૂર્વક જણાવવું પડે છે કે, જેમણે ઠાકોરસાહેબનું લૂણ ખાધું છે એમણે જ એમની ભારે કુસેવા કરી છે. આવા સલાહકારોમાં દરબાર વીરાવાળા સૌથી નપાવટ નીવડ્યા છે. તેમણે રાજ્યને પાયમાલ કર્યુંં છે, અને ભયાનક ગેરવહીવટથી રાજ્યની તિજોરી તળિયાઝાટક કરી છે. ઠાકોર સાહેબ ઉપર તેમણે એવું કામણ કર્યું છે કે, તેમાંથી તેઓ ઇચ્છે તો પણ કેમે છૂટી શકે નહીંં. સર પેટ્રિક કૅંડલને દ૨બાર વીરાવાળાએ જ આણ્યા હતા. પણ વીરાવાળા જ