પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨


Ye might have asked towers and towns
Parks and forests plenty.

“ઓ રાણીજી ! એથી તો તમારે કોટકાંગરા ને નગર માગવાં હતાં. મન માને તેટલા બાગ બગીચા માગવા હતા.” રાણી બેાલ્યાં:

None so pleasant to my pay, she said,
Nor none so lefe (dear) to me.

“હે ખાવીંદ ! એમાનું કશું ય મને આ વરદાન જેટલું મનગમતું નથી.”

પછી તો રાજાજીને બહારવટીઆની કારકીર્દીના બધા અહેવાલ મળે છે. રાજા બહારવટીઆની પાસે જાય છે. કહે છે કે “તમારી તીરંદાજીનું પારખું કરવું છે. તૈયાર થાઓ.”

રાજાએ મેદિની ભરી. એની વચ્ચે બહારવટીઆને બોલાવ્યા ને પછી વીલીઅમના વ્હાલા દીકરાને મેદાનમાં બેસારી તેના માથા પર રાજાએ જમરૂખ મૂકાવ્યું. મૂકાવીને કહ્યું કે “સાચો તીરંદાજ હો તો આ તારા દીકરાના માથા પરથી જમરૂખ ઉડાવી દે.”

“ઉડાવી દઉ નામદાર !" કહીને વીલીઅમ ઉભો થયો.

And when he made him ready to shoot
There was many a weeping ee.

ને જ્યારે એણે તીર છોડવા પણછ તાણી. ત્યારે ઘણા ઘણા પ્રેક્ષકો રડી પડ્યાં. બહાદૂર વીલીઅમે તીર છોડ્યું. પહેલે જ ઘાયે જમરૂખ ઉડાવી દીધું. દીકરાને જરીકે ઈજા ન થઈ. રાજાજી આફ્રિન બન્યા. બહારવટીઆઓને સારી નોકરી આપી......

Thus endeth the life of these good yeomen,
God stand them eternal bliss,
And all that with a hand-bow shoteth,
That of heaven may never miss.

આ રીતે આ ભલા તીરંદાજોના આયુષ્યના સુખી અંત આવ્યો. ઈશ્વર તેઓને અખંડ શાંતિ આપજો !

પછી આપણે સ્કોટકૃત 'રૉબરોય'નામની સ્કોટીશ નવલમાં રૉબરોય, નામના ઇતિહાસમાન્ય બહારવટીઆનો પરિચય પામીએ છીએ. એ લૂંટારાનો આખો વંશ, અન્ય એક શત્રુ-કુળ સાથેના ધીંગાણામાં એક નિર્દોષ પાદરી-સંઘની કતલ કરીને ગુન્હેગાર ઠર્યો, ને પછી બહારવટે નીકળ્યો. તેના વૈરની, ઘાતકીપણાની, લુચ્ચાઈની, જોરાવરીની અને દિલાવરીની ઘટનાઓ એ નવલમાં ગુંથી લેવાઈ છે.