પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬


સૈારાષ્ટ્રના બહારવટીઆ

ઘે આઘે છેક રા' માંડલિકના અમલ સુધી આ દેશનાં બહારવટાંના ઇતિહાસની આંખો પહોંચી શકે છે. મોટા રાજ્યનો માલેતુજાર સ્વામી કાં તો પોતાના પાડોશના નાના ગરાસદારને એક સ્વતંત્ર પાડોશી તરીકે જીવવા દેવામાં ભવિષ્યનું જોખમ સમજે, કાં તો પોતાના કાઈ ભાયાતને કે મૂળ ગરાસીઆને પોતાનાં કાયદા–કાનૂનોનો અનાદર આચરતો દેખે, અથવા તો એ રાજા પોતાની કોઈ મલીન મતલબને વશ બની પોતાના તાબાના ગરાસદાર પાસેથી કોઈ એની પ્રિય વસ્તુ કે વ્યકિતની માગણી કરે, ત્યારે ત્યારે એ રાજા ને એ પ્રજાજન વચ્ચે વેરની આગ ઝરતી. એ એક સંજોગ. બીજો સંજોગ હતો પરદેશી સત્તાનાં આક્રમણોનો : અમદાવાદની મુસ્લીમ સૂબાગીરીની જુનાગઢ પર કિલ્લેબંદી : વડોદરાથી ગાયકવાડના પગપેસારા : અને એ તમામના કરતા અધિક ઉશકેરણીનું મનાએલું તત્વ અંગ્રેજી રાજસત્તાના દરમ્યાનગીર આગમનનું. સહુ રાજ્યોને પોતાની રૈયાસતના સીમાડા પોળા કરવા હતા. પરસ્પર એ રાહુ જમીનોની ખેંચતાણ કરતા હતા. અને એ સહૂને દળબળ પૂરાં પાડનારી ઇસ્ટ ઈન્ડિઆ કંપની આવી પહોંચી હતી. એના પ્રતિનિધિઓની, મોટાં રાજ્યો પ્રતિની પક્ષકારનીતિ નાના ગરાસદારોના દિલમાં વધુ આક્રોશનું નિમિત્ત બનતી હતી.

મી. કીનકેઈડ આ મુદ્દાને વધુ સપાટ બનાવે છે : એ ખાસ તો કાઠી બહારવટીઆ વિષે લખે છે :

At first mere robbers, they after many struggles established themselves at the break- up of the mogul empire firmly in the Centre of the province. They were, however, like sikhs before the time of Ranjitsing, a loosly knit confederacy, and they were unable in the 18th century to make headway against the growing power of Junagadh. Thus it was that many of the smaller landholders wrote over part of their lands to the surrounding administration in order to secure protection for the remainder. But this promised protection was not always obtained. It always happ-