પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧


અથવા તો

ફાંસીએ ચડતાં કંથડજી બોલીઆ,
આમાંથી મુને એકવાર છુટો મેલ્ય બાલુભા ભુજના રાજા !
છેતરીને છેલને નોતો મારવો !
ભોળવીને એનાં માથડાં નોતાં વાઢવાં !

એ તમામ મૃત્યુ-ગીતોમાંથી એના એ જ સ્વરો ઉઠે છે : કે

૧. They hated treachery.
૨. It (Death) is but giving over of a game that all must lose.

ફરીફરીને એના એ સૂર ગુંજે છે : ફરી ફરી એનું એ ચિત્ર ઉઠે છે : મરશીઆના એ સ્વરોની અંદરથી મૃત્યુની બાજીમાં માનવજીવનની અનિવાર્ય હારના પાસા ખખડતા સંભળાય છે. સાંભળો :

સંધા શેત્રુંજા તણાં, ગ્યાં ગરવે ગ્રીંધાણ,
માંસનો ધ્રવતલ મેરાણ, ગઢવી નાગરવડો ગીયો.

[શેત્રુંજા ડુંગર ઉપરથી ઉઠીને બધાં ગીધડાં ગિરનાર ચાલ્યાં ગયાં. કેમકે અંહી ગોહિલવાડમાં તો શત્રુઓનુ માંસ ખવરાવી ધરવ કરાવનાર નાગરવ મરી ગયો.]

ટંક ટંક રોતી તેગ પટાળી છુટે પટે,
અણતમ નાગરવ એક, ગઢવી ભ્રખ દેતલ ગીયો.

[કોઈ સુંદરી પોતાનો સ્વામી મરતાં, માથાના વાળની ડાબી જમણી બન્ને પાટી છૂટી મૂકીને રડે, તેમ તારી તલવાર પણ પોતાના પટ્ટા મોકળા મેલીને ટંકે ટંકે રડે છે. કેમકે દુશ્મનને કદિ ન નમનારો

સ્વામી નાગરવ ગીધડ નામે ભક્ષને દેનારો બહારવટીઓ તો ગયો !)

તોળી જે કરમણ તણા ! વાળા જેવાં વાટ,
થોભા મોરાનો થાટ, નાગરવાડા ! ભાળાં નહિ.

[હે કરમણના પુત્ર ! તારી તો બહુ રાહ જોઉં છુ, પણ એ થોભા ને એ મુખમુદ્રાનો ઠાઠ હવે હું નહિ ભાળું. ]