આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.
૮૫
ત્યાગમૂર્તિ.
ત્રણ પ્રસ ગા સત્યાગ્રહાશ્રમને અંગે વિવાહપ્રસંગ આવ્યા તેથી આશ્રમમાં થએલ વિવાહ અને બહાર થતા વિવાહની સાથે સહેજે મારાથી મુકાબલા થઈ ગયાં છે. અને તેથી ઉત્પન્ન થતા કેટલાક વિચારા વાંચનારની સમક્ષ મૂકવાની હું છૂટ લઉં છું. મામસાહેબ અબદુલકાદર બાવાઝીર એક ખાનદાન કુટુંબના ચુસ્ત મુસલમાન છે. તેમના પિતાશ્રી મુંબઇની જુમા મસ્જીદના કેટલાંય વર્ષો સુધી મુઅઝમ હતા. ઇમામસાહેબ ધણા વર્ષો થયાં મારી સાથે જ રહેતા આવેલા છે, જેલમાં પણ મારી સાથે જ હતા. જેલના અનુભવ ઉપરથી તેમના પોતાના વેવાર ઉપરથી લેાભ ઉતર્યાં અને તે કુટુંબ સહિત મારી સાથે જ ફિનિક્સમાં રહેવા લાગ્યા. ફિનિક્સમાં મજૂરી કરવાની હતી. મામસાહેબે કાઇ દિવસ મારી નહિ કરેલી, છતાં ક્રિનિક્સમાં તેઓ મજારી કરવા લાગ્યા. કિનિકસમાં ઈન્ડિયન આપનિયન · નીકળતું હતું તેથી તેઓએ છાપખાનામાં બીબાં ગેઠવનારનું કામ પશુ શીખી લીધું.