પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૮૩
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? સોનબાઈ તો રોજ હિંડોળે બેસે ને ઢીંગલેપોતિયે રમે. રમતાં રમતાં પોતિયું હેઠે પડી જાય તો સોનબાઈ પોતિયું લેવા હેઠે ન ઊતરે પણ ભાભીને કહે : 'ભાભી, ભાભી ! મારું પોતિયું આપોને ,, ૮૩ ભાભી પોતિયું આપે એટલે સોનબાઈ પાછાં ૨મવા માંડે. ભાભી મનમાં ખૂબ ખિજાય પણ કરે શું ? માબાપ આડે કેમ બોલાય ? સોનબાઈ તો રહ્યાં માબાપનાં માનીતાં. એકવાર સોનબાઈનાં માબાપ જાત્રાએ ચાલ્યાં; એની સાથે એના છ ભાઈઓ અને ભોજાઈઓ પણ ચાલી. જતાં જતાં સોનબાઈની માએ નાના ભાઈને કીધું : "ભાઈ, ભાઈ ! આપણી સોનબાઈને જીવની ઘોડે સાચવજે.” ભાઈ કહે : "હો, બા ! એમાં તે કહેવાનું હોય ? સોનબાઈને તો હું મારા જીવ જેમ જાળવીશ. તમે તમારે સુખેથી જાત્રા કરી આવો. તમારે સોનબાઈના ઉચાટ જરા યે ન કરવા.” સોનબાઈનાં માબાપ તો જાત્રાએ ગયાં. સોનબાઈ તો હિંડોળે બેસીને ઢગિલેપોતિયે રમે છે. ત્યાં એનું પોતિયું હેઠે પડી ગયું. સોનબાઈ ભાભીને કહે : "ભાભી, ભાભી ! મારું પોતિયું લાવોને ?” ભાભી કહે : "લેને તારી મેળાએ ! તારા હાથ ભાંગી ગયા છે ? હું તે શાની આપું ?” સોનબાઈને રોવું આવી ગયું. સોનબાઈ તો જ્યાં હેઠે ઊતરી પોતિયું લેવા જાય ત્યાં ભાભી હિંડોળે બેસી ગઈ ને સોનબાઈને કહે : "એમ ખાવાબાવા નહિ મળે; હવે તો કામ કરવું પડશે. જા, આ બેડું લઈને પાણી