પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૮૫
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? વળી પાછું બેડું લાવીને ગોળામાં નાખ્યું; પણ ગોળો ભરાણો નહિ. સોનબાઈને ખબર પડી કે ગોળો તો ભાભીએ ફોડી નાખ્યો છે. પાછી એ તો નદીએ ચાલી. નદીએ જઈને શશે ધ્રુશકે રોવા મંડી. ત્યાં એક દેડકો આવ્યો. દેડકો કહે : "બેન, બેન ! રડે છે શું કામ ? તારે તે શું દુઃખ છે ? તારું જે દુ:ખ હોય તે કાપું. એકવાર રોતી છાની રહે.” ૮૫ સોનબાઈ કહે : "બાપુ ! મારાં માબાપ જાત્રાએ ગયાં છે; મારો ભાઈ દુકાને ગયો છે ને મારી ભાભી મારી આગળ પાણી ભરાવે છે. ભાભી કહે છે કે ગોળો ભરી દે તો પાણી આપું. ગોળો તો એણે પથરો મારી કાણો કર્યો છે. એમાં પાણી નાખું છું એમ એમ એ તો નીકળી જાય છે. હવે મારે તે શું કરવું ? હું તે કેટલાં બેડાં ભરું ?" ઃ દેડકો કહે : "રો મા બાપુ ! લે હું તારી સાથે આવું ગોળા- ના કાણામાં બેસી જઈશ એટલે ગોળામાંથી પાણી નહિ જાય." સોનબાઈ તો ખુશીખુશી થઈ ગઈ. પછી દેડકો સોનબાઈના બેડામાં બેસીને સોનબાઈને ઘેર ગયો. વળી એક બીજું દૃષ્ટાંત લઈએ. ટીડો જોષી* (વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો) એક બ્રાહ્મણને એકનો એક પુત્ર હતો. ખોટયનું જણ્યું એટલે એનું નામ ટીડો પાડયું હતું; જમણું નસકોરું વિંધાવ્યું હતું;

  • 'વસંત'ના સંવત ૧૯૭૫ના માર્ગશીર્ષના અંકમાંથી ઉતારો.