પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૪૭
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? પછી ભેંશ નદીએ પાણી પીવા ગઈ. નદી કહે : "ભેંશબાઈ ! ભેંશબાઈ ! શીંગડાં કયાં ગયાં ?" ભેંશ કહે : "અરે બેન ! કાંઈ કહેવાની વાત નથી.”

નદી કહે : "કહે તો બેન, એવું તે શું છે ?” ભેંશ કહે : તે ? કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, પીંપળપાન પર્યા અને ભેંશશીંગ પડયાં.’’ નદી કહે : "અરે ! આથી મને બહુ શોક થાય છે. હું યે હવે સુકાઈ જઈશ.” એમ કહી નદી સુકાઈ ગઈ. ત્યાં એક કોયલ નદીએ પાણી પીવા આવી. કોયલ કહે : "નદીબાઈ, નદીબાઈ ! આ શું ? કાલે તો રૂપાળાં બે કાંઠામાં વહેતાં હતાં, અને આજ પાણીનું ટીપું ય નહિ ?” નદી કહે : "અરે બાઈ ! કાંઈ કીધાની વાત નથી; ગજબ થઈ ગયો છે.” કોયલ કહે : કહો તો ખરાં બેન ! શું દુ:ખ આવી પડયું છે નદી કહે : ૧૪૭ કૂકડી પડી. રંગમાં, કૂકડો શોકઢંગમાં, પીંપળપાન ખર્યા ભેંશશીંગ પડયાં અને નદી નપાણી.’’