પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૪]


મજિયારાં હૃદયની અશ્રુત્રિવેણી

કાગને ડોળે આભાશા વેવાઈની વાટ જોઈ રહ્યા હતા.

જિંદગીભરની કરી કમાણી વણસી જતા અટકાવવાનો અત્યારે પ્રશ્ન હતો. પોતે અપુત્ર હતા તેમાંથી જ જતી જિંદગીએ એક વારસ. લાધ્યો પણ નસીબમાં એ ન સમાયો. માનવંતીની આજ્ઞાથી પોતે બીજું ઘર કર્યું અને હમેશની હૈયાહોળી ઊભી કરી. બંને બહેનો વચ્ચે જાણે કે બાપ-માર્યા વેર ઊભાં થયાં. આ પણ કરમના ખેલ જ ને ! વિમલસૂરીજી વ્યાખ્યાનમાં સાચું જ કહે છે કે માણસ પૈસાનો ગુલામ છે, પણ પૈસો કોઈનો ગુલામ નથી. એ તો માલિકનો પણ માલિક થઈ બેસે છે અને એ નચવે એ પ્રમાણે માલિકે નાચવું પડે છે. કોને ખબર છે હજીય શા ખેલ ખેલવાના નસીબમાં માંડ્યા હશે?

આટઆટલી વિષમતાઓ વચ્ચે આભાશા એક આશ્વાસન અનુભવતા હતા કે સુલેખા જેવી સંસ્કારી અને કુલીન પુત્રવધૂ પોતાને આંગણે છે. ઘણીય વાર સંતપ્ત આભાશા એટલી શાંતિ અનુભવતા : "કોને ખબર છે સુલેખાના પુણ્યનો રોટલો આપણે સહુ ખાતા હોઈએ ! એને પ્રતાપે જ હજી આ ઘરનું બારણું ઉઘાડું રહી શક્યું હોય ! એની શુભાશિષે જ મારા ખોળિયામાં પ્રાણ ટકી રહ્યો હોય !- નહિતર તો તે દિવસે મીંગોાળાના મેળામાંથી પાછા ફરતાં રિખવનું ખૂન થયું ત્યારે મેં જે માથા પછાડવા માંડેલા ત્યારે રિખવના મૃત્યુ ભેગી મારીય ચેહ ક્યારની ખડકાઈ ગઈ હોત !'

પણા એમ થયું હોત તો સારું હતું ! મારી ચેહ પણ દીકરાની