પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
વ્યાજનો વારસ
 



શાને કારણીએ રાજા મુંડ રે મૂંડાવી ને,
શાને કારણ પે’રી કંથા હો... જી... ?
શાને કારણીએ રાજા ખપર ધરાયો ને
શાને કારણે લીયા ડંડા હો... જી...?

હા ! ઠીક આપમેળે પ્રશ્નો પુછાયા ! અમને પણ એ જ કુતૂહલ ઊઠે છે : શા કારણે તમારે મુંડાવવું પડ્યું ? એવા તે કયા દુઃખના ડુંગર ઊગ્યા હતા કે કંથા પહેરવી પડી ? ખપ્પર ધારણ કરવું પડ્યું ? હાથમાં ડંડો લેવો પડ્યો, ભલા ?

શંકિત હૃદયો સરવા કાન કરીને ઉત્તર સાંભળી રહ્યા છે.

મુગતિને કારણ મૈયા મુંડ તો મૂંડાવી ને,
કાયા ઢાંકણ પે’રી કંથા હો જી
વસ્તી માગણ કું મૈયા ખપર ધરાયો ને,
કાળ મારણ લીયા ડંડા હો જી...

પણ કોઈની શંકાનું સમાધાન થતું નથી. ઊલટાનાં કુતૂહલ વધારે ઘેરાં બને છે. કુતૂહલ સાથે સાથે હવે તો દયાર્દ્રતા પણ ઊપજે છે. ભજનમાંની પ્રશ્નોત્તરી એ દયાર્દ્રતામાં વધારો જ કરે છે ! ભેખધારી રાજા ગોપીચંદ પાસે રાણીઓ પ્રલોભન ઊભાં કરવા પ્રશ્નો કરે છે ;

કોણ કોણ રાજા, તેરી સંગમેં ચલેગી ને
કોણ રે કરેગી દો દો બાતાં હો જી ?
કોણ કોણ રાજા તેરા ચરણ પખાળશે ને
કિંયા જઈ જમશો દૂધ ને ભાતાં હો જી ?

હા, અમે પણ એ જ જાણવા માગીએ છીએ – પણ ગોપીચંદની પત્નીઓની જેમ નહિ. માતાઓ તરીકે, અમને પણ તમારા દૂધ–ભાતની, ભોજનની જ ફિકર થાય છે... શો જવાબ આપો છો ?

ધૂંણી ને પાણી મેરા સંગ ચલેગી ને
રેન કરેગી દો દો બાતાં હો જી...