વસુંધરાનાં વહાલાં દવલાં

વિકિસ્રોતમાંથી
વસુંધરાનાં વહાલાં દવલાં
ઝવેરચંદ મેઘાણી
'ત્રાજવડાં ત્રોફાવો!' →





વસુંધરાનાં વહાલાં-દવલાં




ઝવેરચંદ મેઘાણી





ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે • ગાંધી માર્ગ અમદાવાદ-૩૮૦૦૦૧



Vasundharānām Vahalām Davlām

a novel by Jhaverchand Meghāni
Amadavad : Gurjar Grantharatna Karyalay
Ed. 2: 1947, reprinted 2003
Price Rs. 75


: આવૃત્તિઓ :
પહેલી 1937, બીજી 1947
પુનર્મુદ્રણ : 1957, 1972, 1981, 2003
પ્રત: 1250

પાનાં: 8 +200 =208


કિંમત રૂ. 75


: પ્રકાશક :
અમર ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ 380 001


: કમ્પ્યૂટર અક્ષરાંકન :
અપૂર્વ આશર, ઈમેજ સિસ્ટમ્સ,
10 બીરવા રો હાઉસિસ, બોપલ, અમદાવાદ 380 058
ફોનઃ 373 5590. ઇ-મેલઃ apu@vsnl.com


 : મુદ્રક :
ભગવતી ઑફસેટ

15/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ 380 004

અર્પણ

સુશીલભાઈ,

સોળ વર્ષ પરનો એક બપોર યાદ આવે છે? ‘સૌરાષ્ટ્ર કાર્યાલય’ એવા ઠસ્સાદાર નામે ઓળખાતાં માટીનાં ભીંતડાં વચ્ચે તમે બેઠા બેઠા મોટા એક મેજ પર ‘ઘરે બાહિરે’ ઉતારતા, અવલોકનો લેતા, અગ્રલેખો લખતા – ને સૌરાષ્ટ્રના સમાચાર પણ તારવતા. તે દિવસોના એક ચડતા બપોરે તમે મને સત્કાર્યો, નાનેરો ભ્રાતા કરી લીધો..... અને પત્રકારત્વના પ્રથમ પાઠ શિખાવી પછી તમે ચાલ્યા ગયા. હું પણ મારો પ્રહર પૂરો થયે આંહીંની ચિરવિદાય લઈ ગયો હતો.

આજે ફરી વાર આપણને બેઉને સાદ પડ્યો – નાથાભાઈનો. આપણે પાછા આવ્યા – નવા સ્વધર્મમાં નાથાભાઈના સહભાગી બનવા. છ મહિનાથી તમે અમને ચકિત કરી રહ્યા છો. સમુદાયથી ત્રાસીને નાસી છૂટેલા નિવૃત્તિ-પરાયણ ભદ્ર ભીમજીભાઈ ‘સૌરાષ્ટ્ર’ના જૂના ઇતિહાસ-પાનાની પુનઃસ્થાપના કરવા માટે, બુધવારના સળગતા મધ્યાહ્ને હાજર થાય છે.

મારા–તમારા આજના આ પુનર્યોગની મીઠી યાદનો દીવો આ દીન પુસ્તક-કોડિયામાં નાથાભાઈને હાથે તરતો મુકાવું છું. એનું આયખું ક્ષણિક છતાં સુંદર હશે. ને ક્ષણનું સૌન્દર્ય જ શું આ બધી કુત્સિતતા વચ્ચે બસ નથી?


રાણપુરઃ ચૈત્રી પૂર્ણિમા
ઝવેરચંદ
 








ક કલાસર્જક લેખે મેઘાણીની નવલકથાઓ પાછળ તેમની ચોક્કસ સમાજનિષ્ઠ અને ઊંડી નિસબત રહેલી છે. વ્યક્તિ અને સમાજજીવનના જે કોઈ પ્રશ્નો અને જે કોઈ પરિસ્થિતિઓ તેમણે આલેખ્યાં તેમાં તેમની અમુક સામાજિક, સાંસ્કૃતિક સંપ્રજ્ઞતા છતી થાય છે. જૂનીનવી પેઢીનાં માનવીઓના માનસભેદ અને તેમના મૂલ્યબોધનો સીધો વિનિયોગ તેમની પાત્રસૃષ્ટિમાં જોવા મળે છે. પરંપરાગત ગૃહજીવનની સંસ્કારિતાનું જે રીતે તેઓ મૂલ્ય સ્થાપવા ઝંખે છે તે ઘટનાનું આપણા સાહિત્યિક, સાંસ્કૃતિક જીવનમાં આગવું મહત્ત્વ છે. ગોવર્ધનરામની જેમ જ પણ સીમિત ફલક પર કુટુંબસંસ્થા અને તેનાં ધારકપોષક બળોની પ્રાણપ્રતિષ્ઠા કરવા તેઓ મથી રહ્યા છે અને સામાજિક, આર્થિક વિષમતાનો જ્યાં સુધી પ્રશ્ન છે, દલિતપીડિતોનાં શોષણ, અન્યાય અને જુલ્મનો પ્રશ્ન છે, મેઘાણીની નવલકથાઓ આપણા સંસ્કારજીવનમાં નોંધપાત્ર દસ્તાવેજ સમી બની રહેશે. ગરીબો, દલિતો અને પીડિતો પ્રત્યેની ઊંડી અનુકંપા અને કરુણાદૃષ્ટિ જે રીતે તેમણે એ કથાઓમાં પ્રગટ કરી તેનુંય મોટું મૂલ્ય છે. તળ ધરતીનાં માનવીઓનાં આંતરવહેણો આલેખવામાં મેઘાણી અનન્ય કોઠાસૂઝ દાખવે છે. સોરઠની ધરતી અને સોરઠના લોકજીવનની ધબક ઝીલવામાં તેમની પ્રતિભાનો વિશેષ રહ્યો છે અને એમાં જ તેમની ચિરંતન પ્રભાવકતા રહી છે.

પ્રમોદકુમાર પટેલ



નિવેદન

[ બીજી આવૃત્તિ વેળા]

મારી ઉપન્યાસ-રચનાઓના ક્રમામાં 'વસુંધરાનાં વહાલાં-દવલાં' ચોથી આવે છે. પહેલી'સત્યની શોધમાં', બીજી 'નિરંજન', ત્રીજી 'સોરઠ, તારાં વહેતાં પાણી', ને ચોથી આ.

૧૯૩૭માં 'ફૂલછાબ' સાપ્તાહિકનું સંચાલન કરતે કરતે, એની વાર્ષિક ભેટ માટે, આ વાર્તા લખી હતી. વીસથી પચીશ દિવસોના ગાળામાં એ પૂરી કરી હતી. એનો રચનાકાળ, આ રીતે, મારી કૃતિઓમઆં ટૂંકામાં ટૂંકો કહેવાય.

આની પહેલી આવૃત્તિમાં નીચે મુજબ નાનકડું નિવેદન જોડેલું :

" આ વાર્તાનો રસ સૌરાષ્ટ્રના મધ્યમ તેમ જ નીચલા થરે વચ્ચેના પડમાંથી ખેંચવાનો એક સ્વતમ્ત્ર પ્રયત્ન છે. એના આલેખનમાં એક જ વિચાર વિક્ટર હ્યુગોના 'ધ લાફિંગ મૅન'માંથી પ્રયોજેલ છે : મદારી, હોઠકટો બાળક, અને અંધી છોકરી - એ ત્રિપુટી સર્જવાનો. ત્રણે પાત્રોનું ખેડાણ તો મેં મારી રીતે જ કર્યું છે. વાર્તાકાળ પચીસ ત્રીસ વર્ષો પરના સૌરાષ્ટ્રનો લેશો તો ચાલશે."

ઉપલા નિવેદનને કેટલાક સમીક્ષકોમાં એવી ગેરસમજ પેદા કરાવી જણાય છે કે, આ કૃતિ હ્યુગોની વાર્તા પરથી પ્રયોજિત અગર અનુવાદિત છે. આ ગેરસમજને ટાળવા માટે ફરી વાર સ્પષ્ટ કરવું પડે છે કે , આ કૃતિને પેલાં ત્રણ પાત્રોના સૂચન કરતાં વિશેષ કશી જ નિસ્બત હ્યુગોનાં પુસ્તક સાથે નથી. આ તો છે તેજબાઈ, લખડી, પ્રતપ શેઠ, અમરચંદ શેઠ, કામેશ્વર ગોર ઇત્યાદિ પાત્રોની પ્રધાનપણે બનેલી વાર્તા સૃષ્ટિ. અને વાર્તા લેખનનું ધ્યેય પણ, ઝંડૂર-બદલીની લગરીક

જેટલી 'રોમાન્સ' વડે રસ પૂરીને, મુખ્ય કથા તો પેલાં પાત્રોની જ કહેવાનું રહ્યું છે.

તેમ છતાં કોઈ શંકાશીલ વિવેચક જો 'ધ લાફિંગ મૅન'ને તપાસી જશે, તો એ હ્યુગો-કૃતિનો અનેરો આસ્વાદ એને સાંપડશે - અને આ બાબતનો વિભ્રમ ભાંગશે. બાકી તો, ઋણસ્વીકારની પ્રમાણિક રસમ કંઈક જોખમી છે તેવો અનુભવ મને એક કરતાં વધુ વાર રહ્યો છે.

મારી આ વાર્તા પર કેટાલાય વાચકોને વિશેષ પક્ષપાત છે તે જાણ્યું છે. અને તેમને હું કહી શકું છું કે, એ વિશિષ્ટ પક્ષપાતમાં હું પણ સહભાગી છું.

એટલે જ, આ કૃતિના કરુણ અંત પ્રતેનો અન્ય વાચકોનો અણગમો પાછળથી મારા અંતરમાંયે ઊગ્યો હતો; અને, એ કારણથી, આ આવૃત્તિમાં બીજું ત્રીજું ટોચણટીચણ કરવા ઉપરાંત સમાપ્તિને પણ કરુણ છતાં મંગળ બનાવી છે.

બોટાદ : ૧૯૪૬
ઝવેરચંદ મેઘાણી
 


વસુંધરાનાં વહાલાં-દવલાં
 


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.