પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨
અખો

પ્રાપ્ત રામ કહે તે ગુરુ , બીજા ગુરુ તે લાગ્યાં વરુ;
ધન હરે ધોખો નહિ હરે, સંબંધ સંસારી સાચો કરે;
અખા શું સમજ્યો ગુરુ કરી, સવરાચાર દીઠા નહીં હરી. ૨૯૯

ર્મ કરી શું હરખે હળ્યા, એ તો દામ ઉલેખે પળ્યા;
જેને લેખે જીવ જ ટળે, તે જ સમજતાં નામું વળે;
તત્વજ્ઞાન વિણ બીજું અખા, તે રમવું જેમકાચ કાંચકા. ૩૦૦

હે અખો મુજ આવે હસું, એ ક્યાંથુ ટીખળ મનમાં વસ્યું;
હિરણ્ય ગર્ભ હરિ આપોઆપ, ત્યાં દ્વૈત અચાનક લાગ્યું પાપ;
કોણ સુણ સુણે ને અખા કોણ કહે, હરિની વાત તો એજ લહે. ૩૦૧

હું તું થૈ બોલ્યા એ ખરું, તે હું જ નહીં તો શું ઉચરું;
જેમ મૈઅરમાં વાજે સાદ, એકલો ગારુડી પૂરે નાદ;
એહ અખા એવો શો ભેદ, તો હું માને શો વિધિ નિષેધ. ૩૦૨

પે આપમાં ઊઠી બલા, એક રામ ને એક કહે અલ્લા;
અલ્લા રામ તે કેનું નામ, કોણ સાંભળે તે નિજ ધામ;
કહે અખો ઉપજાવ્યો કળો, કળકલે બાળ રમે એકલો. ૩૦૩


સગુણભક્તિ અંગ


ગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી;
અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે;
એ અખા સમજ દેહવેહવાર, જન્મમરણ ન ટળે સંસાર. ૩૦૪

ડતું સુવર્ણ ને બીજું મન, તેનું ધોવું ધાવું નોય જતન;
જો મર્મ ખાર અગ્નિને મળે, તો થાય ચોખ્ખું મન પાછું વળે;
મનનીં કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય. ૩૦૫

ણજાણ્યે જ્યાં ગુરુ કરી પડે, ભાત્ય પટોળેથી કેમ ખડે;
અવળા શબ્દ પેઠા કાનમાં, વાધ્યો રોગ નાવે માનમાં;
અખા આતમવિન અવળી વજા, ફરે કાજી પણ ન ફરે કજા. ૩૦૬

હુ વિધ છે શાસ્ત્રનું જાળ, ઉર્ણ નાભિ મૂકે નિજ લાળ;
જીવબુધ્યે કરી ગુંથ્યા ગ્રંથ, મમતે સહુ વધારે પંથ;
પણ જ્ઞાન તો છે આતમસુઝ, અખા અનુભવ હોય તો બુઝ. ૩૦૭

મુક્તિ ભક્તિ બે વાંચ્છે ભ્રમ, પણ બેઉથી અળગો આતમધર્મ;
જીવ થઇ થાપે ભક્તિ ભગવંત, જીવ થઇ મુક્તિ મન માને જંત;
એ તો તેમનું તેમ છે અખા, દ્વૈતવિના નોહે પખપખા. ૩૦૮