પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
કલ્યાણિકા
 


પંચામૃત એમાંથી ઝરતું
લે તું અંતર ધારી રે !
પ્રભુચરણમાં શું મૂકશે, જવ
આવે તેની સ્વારી રે ?
પ્રાણ ! હવે તું∘ ૩

નથી પાપફળરૂપ જીવન આ,
કે નથી પુષ્પપથારી રે :
પણ પ્રભુચરણે પુણ્યામૃત તુજ
મૂકવાની તૈયારી રે !
પ્રાણ ! હવે તું∘ ૪

બારી બહાર બધી બેજારી,
ભીતર ફૂલની ક્યારી રે :
સૌ તીર્થે નારાયણ નિરખી,
સ્થિર કર મન સંચારી રે !
પ્રાણ ! હવે તું∘ ૫

રે રે પ્રાણ ! પ્રમાદ તજી દે !
આવે પળ અણધારી રે :
તુજ અમીપાત્ર અદ્દલ છલકે, ત્યાં
પ્રભુ લેશે સ્વીકારી રે !
પ્રાણ ! હવે તું∘ ૬