પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જો કદા કહીએ ભજન પણ પ્રારબ્ધ લખ્યું બની આવે;
તો વૈદકશાસ્ત્ર પ્રબોધ વાચક, સકલ વ્યર્થ કહાવે.
તે માટે અતિ આતુર થઈ, ભજવા સદા ભગવંત;
ક્ષણ ભંગ મનુષ્ય દેહ દુર્લભ, મળે પુણ્ય અનંત.
સૌ યોનિમાં છે વિષય સુખ, ત્યાં હરિજન નવ હોય;
તે માટ અમૂલખ આ સમય ચેતે ન તે સહુ ખોય.
ભરતખંડ મોંઘું મનુષ્ય તનુ, જેની અમરને પણ ભૂખ.
તે મળે કૃષ્ણ ભજ્યા ન તો, ગયું આવ્યું હસ્તપીયૂષ.
કહું લાખ વાતની વાત, સહેલું નામ રટ શ્રીકૃષ્ણ;
પ્રભુ દયા પ્રીતમ પ્રસન્ન થાશે, સકલ પૂરણ તૃષ્ણ.