આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૭)
રસિકવલ્લભ
શુચિ પંચહ્રદ કૌશિકી, નદિ નદ્ય સોળ તીર્થ વસંત;
પછી પુણ્યક્ષેત્રાનંદ મુક્તા, ક્ષેત્ર છૂટે જત. ૫ [૧]
શ્રીજનકપુર શ્રીઅયોધ્યાપુરી, સ્નાન સરયૂતીર;
શુચિ સ્વર્ગદ્વારી ઘાટ જોઈને, નિરખ્યા શ્રીરઘુવીર. ૬ [૨]
ત્યાંથી ગયો હું પ્રયાગરાજ, ત્રિવેણી સંગમ સ્નાન;
શ્રી વેણીમાધવ પૂજિયા, વટ અક્ષય તીર્થ મહાન. ૭[૩]
પછી ચિત્રકૂટ પવિત્ર સ્થળ, જ્યાં વસ્યા સીતારામ;
જન દયાપ્રીતમ પૂર્ણ પુરુષોત્તમ સહૂ સુખધામ. ૮[૪]
પદ ૫ મું.
- ↑ પ. પવિત્ર પચહદ, કૌશિકી નદી, એને બીજા નદ મળીને એ સ્થાનમાં સોળ તીર્થ છે, તેમાં હું નહાયો એ ભાવ. પછી ઈ○—પછી પુણ્યક્ષેત્ર જે આ નંદમુક્તા તીર્થ, જે તીર્થમાં સ્નાન કરવાથી પ્રાણી મુક્ત થાય છે ત્યાં જ નહાયો.
- ↑ ૬. જનકપુરી–મિથિલા નગરી. સ્વર્ગદ્વારી ઈ○— સરયૂના નીરમાં પવિત્ર સ્વર્ગદ્વારી — સ્વર્ગના દ્વાર રૂપ ઘાટ જોઈને રામે આખા નગરને સરયૂમાં સ્નાન કરાવીને સ્વર્ગ સ્થાપ્યું હતું એવી કથા રામાયણમાં છે, તે સ્થળ સ્વર્ગદ્વારી ઘાટ નામે કહેવાય છે.
- ↑ ૭. પ્રાગરાજ–પ્રયાગ તીર્થ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણ નદીઓનો સંગમ થાય છે અને ત્રિવેણી સંગમ કહે છે વેણીમાધવ–એ નામે દેવ છે. વટ–પ્રાગવડ.
- ↑ ૮. ચિત્રકૂટ–પ્રયાગથી દશ કોશ પર એક સામાન્ય પર્વત છે. વનવાસ સમયે રામે ત્યા નિવાસ કર્યો હતો.
- ↑ ૧ બિંદુમાધવ–કાશીક્ષેત્રમાં એક દેવ છે.
- ↑ ૨ પંચકોશી–કાશીની આસપાસ પાંચ કોસ સુધીના તીર્થ પાવનપુરી-કાશી ગયા–ગયાજી તીર્થ.
કી–અયોધ્યાની પૂર્વમા નદી છે. એ નદીનુ મૂળ નેપાળમાં છે. એમાના શાલ- ગ્રામ નામે કાળા પાષાણ ને વિષ્ણુ કરીને પૂજે છે.