પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૧૧૧
 


એક વધુ આગમ-ગીત નીચે મુજબનું મળ્યું છે, એ ગીતમાં તો પરચાઓ પ્રત્યે તિરસ્કાર જ દર્શાવ્યો છેઃ

વેલા ધણી ! વચન સુણાવ રે !
આગમ વેળાની કરૂં વિનતિ.


[૧]બાળૂડા ! બાળૂડા ! મુવાં મૈયતને બોલાવશે
એને હથેળીમાં પરમેશ્વર દેખાડે રે
એવા પાખંડી નર જાગશે !


[૨]બાળૂડા ! બાળૂડા ! જળને માથે આસન વાળશે;
એનાં અદ્ધર પોતીઅાં સૂકાય રે - એવા૦


[૩]બાળૂડા ! બાળૂડા ! બગલાંની વાંસે બાળા ધોડશે,
એક નર ને ઘણી નાર રે - એવા૦


બાળૂડા ! બાળૂડા ! ઘોડામુખા નર તો જાગશે,
એની વાણીમાં સમજે નહિ કોઈ રે–એવા૦

  1. એ બાળુડા યોગી ! ભવિષ્યમાં તો એવા પાખંડીઓ જાગશે કે જે મુવેલાં મનુષ્યોને બોલતાં કરીને અંધશ્રદ્ધાળુઓને એવી ભ્રમણા ઉપજાવશે કે જાણે તેઓ પ્રભુની શક્તિ ધરાવે છે.
  2. એ પાખંડીઓ પાણી પર આસન વાળીને મેલી વિદ્યાને બળે પોતાનાં વસ્ત્રો અદ્ધર સૂકાતાં બતાવશે.
  3. એવા ઉપરથી ચોક્ખાં દેખાતા પાખંડીઓની પાછળ ભોળાં લોકો દોડશે, એક એક પુરૂષને ઘણી સ્ત્રીઓ વળગશે.