પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
સોરઠી સંતો
 

વેલનાથ ચરણે રામો બોલીઆ રે જી
ઈ છે આગમનાં એંધાણ રે
આગમ વેળાની કરૂં વિનતિ.


વેલા બાવાને 'બાળુડો' 'ગરનારી' 'ગરવાના રાજા' ને 'સરભંગી' એવાં બિરુદ અપાતાંઃ સરભંગી એટલે સર્વ પંથનો; કોઈ એકાદ સંપ્રદાયનો નહિ.

રામ બાવાએ આવાં ત્રણસો ભજનો રચ્યા કહેવાય છે. કેટલાએકમાં શબ્દની વિકૃતિ એટલી બધી થઈ ગઈ છે કે અર્થ સૂઝતો નથી.

વેલા ભગતની સમાધી સૈારાષ્ટ્રમાં ખાખરીયા સ્ટેશન પાસે ખડખડ ગામમાં છે, જગ્યા સાદી છે. દેવમંદિર જેવું કશું નથી. બીજી જગ્યા ગિરનારની તળેટીમાં ભવેશ્વર પાસે છે.

એની ચોથી પાંચમી પેઢીનાં કુટુંબો ખડખડમાં વસે છે. એ લોકો સૈારાષ્ટ્રના ઘણા કોળીઓ પાસેથી કાંઈક લાગો ઉઘરાવીને નભે છે.